શોધખોળ કરો

Tiger 3: થિયેટરમાં આતશબાજી કરવાને લઈ સલમાન ખાને ફેંસને શું કરી અપીલ? જાણો વિગત

Entertainment News: થિયેટરોની અંદર ફટાકડા ફોડવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસેમામલાની તપાસ શરૂ કરી છે અને બે લોકોની ધરપકડ કરી છે.

Tiger 3: સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. ચાહકો આ એક્શનથી ભરપૂર ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રવિવાર, 12 નવેમ્બરે દિવાળીના અવસર પર 'ટાઈગર 3' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જે બાદ સલમાન ખાનની ફિલ્મની ઉજવણી કરવા થિયેટરોમાં ચાહકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કેટલાક ચાહકોએ તો તેમના સુપરસ્ટારની ફિલ્મની ઉજવણી માટે થિયેટરોમાં ફટાકડા ફોડ્યા હતા. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ સલમાન ખાને ફેંસને અપીલ કરી છે.

સલમાન ખાને શું કરી અપીલ

અભિનેતા સલમાન ખાને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, "હું ટાઇગર 3 દરમિયાન થિયેટરની અંદર ફટાકડા વિશે સાંભળી રહ્યો છું. આ ખતરનાક છે. ચાલો આપણે પોતાને અને અન્યોને જોખમમાં મૂક્યા વિના ફિલ્મનો આનંદ માણીએ."

'ટાઈગર 3'ની ઉજવણી માટે ચાહકોએ ફટાકડા ફોડ્યા

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં મોહન સિનેમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાનની 'ટાઈગર 3'ને થિયેટરમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. દરમિયાન, કેટલાક ચાહકો સલમાનની ફિલ્મની ઉજવણી કરવા માટે હોલમાં ફટાકડા ફોડતા જોવા મળે છે. સિનેમા હોલમાં એક મિનિટ સુધી આતશબાજી ચાલ્યા બાદ કેટલાક ચાહકો સુરક્ષિત સ્થળોએ ભાગતા જોવા મળ્યા હતા.

પોલીસે થિયેટરમાં ફટાકડા ફોડવા સામે ગુનો નોંધ્યો

થિયેટરોની અંદર ફટાકડા ફોડવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે તેની સામે કાર્યવાહી કરી છે અને મામલાની તપાસ શરૂ કરી છે. મોહન થિયેટર વિરુદ્ધ છાવણી પોલીસ સ્ટેશનમાં કલમ 112 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. જો કે, માત્ર માલેગાંવમાં જ નહીં, સલમાન ખાનના ચાહકોએ 'ટાઈગર 3'ની રિલીઝની ઉજવણી માટે દેશભરના અન્ય ઘણા થિયેટરોમાં રોકેટ ચલાવ્યા અને ફટાકડા ફોડ્યા હતા.

દિગ્દર્શક મનીષ શર્માની 'ટાઈગર 3' એક એક્શન થ્રિલર છે જેમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ટાઇગર ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે અને YRF જાસૂસ બ્રહ્માંડનો પાંચમો ભાગ છે. 'ટાઈગર 3'માં રેવતી, સિમરન, રિદ્ધિ ડોગરા, વિશાલ જેઠવા, કુમુદ મિશ્રા, રણવીર શોરે અને આમિર બશીરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચારValsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
Embed widget