![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kiara Advani : તો શું આલિયા ભટ્ટની માફક કિયારા અડવાણી પણ છે પ્રેગ્નેન્ટ? જુઓ વીડિયો
જ્યાં એક તરફ લોકો તેના લુકના વખાણ કરતા જોવા મળ્યા તો બીજી તરફ કેટલાક લોકોને અભિનેત્રી પ્રેગ્નન્ટ હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.
![Kiara Advani : તો શું આલિયા ભટ્ટની માફક કિયારા અડવાણી પણ છે પ્રેગ્નેન્ટ? જુઓ વીડિયો Kiara Advani : Kiara Advani is Pregnant? Kiara Advani : તો શું આલિયા ભટ્ટની માફક કિયારા અડવાણી પણ છે પ્રેગ્નેન્ટ? જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/d33c096d19194db5174122e8c0f1a868167603637430881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kiara Advani Pregnancy Rumours: બોલિવૂડની ગોર્જિયસ ગર્લ કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ શેર શાહના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા. કપલના આ ભવ્ય લગ્ન ચર્ચામાં હતા અને આ દરમિયાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ સિવાય લગ્ન બાદ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં કિયારા અડવાણી લગ્ન બાદ પહેલીવાર સિંદૂર લગાવતી જોવા મળી હતી. જ્યાં એક તરફ લોકો તેના લુકના વખાણ કરતા જોવા મળ્યા તો બીજી તરફ કેટલાક લોકોને અભિનેત્રી પ્રેગ્નન્ટ હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.
કિયારા-સિદ્ધાર્થનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કિયારા અને સિદ્ધાર્થ કારમાંથી બહાર નીકળીને મીડિયાને સંબોધિત કરી રહ્યાં છે. આ દરમિયાન કેટલાક લોકોએ કિયારાની બોડી લેંગ્વેજ પર ધ્યાન આપ્યું અને તેની સીધી સરખામણી આલિયા ભટ્ટ સાથે કરી હતી. લોકોને શંકા છે કે, કિયારા અડવાણી વારંવાર પોતાનું પેટ દુપટ્ટા વડે કેમ છુપાવી રહી છે. ઘણા ચાહકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. લોકોનું માનવું છે કે, આલિયાની જેમ કિયારા પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ છે.
ચાહકો આપી પ્રતિક્રિયા
એક વ્યક્તિએ કહ્યું હતું કે- કિયારા ગર્ભવતી છે, તેને લેખિતમાં લો. આ ઉપરાંત એક વ્યક્તિએ લખ્યું હતું કે- કિયારા કેમ આખો સમય દુપટ્ટો પહેરી રાખે છે અને તેનું પેટ કેમ ઢાંકે છે? જે હોય તે, દંપતીને ખૂબ ખૂબ અભિનંદન. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું - આલિયા ભટ્ટની જેમ કિયારા પણ ટૂંક સમયમાં પ્રેગ્નન્ટ થશે. આ સિવાય અન્ય એક વ્યક્તિએ શંકા વ્યક્ત કરતા કહ્યું - કિયારા જે રીતે પેટ ઢાંકી રહી છે તેના પર મને શંકા થઈ રહી છે. જ્યાં એક તરફ કેટલાક ચાહકો આવું માને છે તો બીજી તરફ કેટલાક નવવિવાહિત યુગલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.
હવે યોજાશે ભવ્ય રિસેપ્શન
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. લગ્નની વિધિઓ ત્રણ દિવસ સુધી ચાલી હતી અને હવે આ ભવ્ય લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. આ કપલ હવે મુંબઈમાં લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ આમાં ભાગ લે તેવી શક્યતા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)