શોધખોળ કરો

Lalita Pawar Death Anniversary: છેલ્લી ઘડીએ 'મંથરા'ની હતી દયનીય હાલત, પાણી પીવડાવવા પણ કોઈ નહોતું પાસે

Lalita Pawar Biography: બોલિવૂડની કડક માતા અને સાસુ વિશે વાત હોય અને લલિતા પવારનો ઉલ્લેખ ના થાય એવું બને નહી. લોકો હજુ પણ તેના અભિનયના દિવાના છે. આવો જાણીએ તેમની કેટલીક વાતો.

Lalita Pawar Death Anniversary: લલિતા પવાર તેના યુગની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તે હંમેશા હિરોઈન બનવા માંગતી હતી. જેમાં તેને સફળતા પણ મળી રહી હતી. લલિતાના જીવનમાં અચાનક એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું અને તેનું હિરોઈન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

આ અકસ્માતે દરેક સપના તોડી નાખ્યા

1942ની વાત છે. જંગ-એ-આઝાદી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મમાં કો-સ્ટાર ભગવાન દાદાએ આ સીન માટે લલિતા પવારને થપ્પડ મારવાની હતી. કહેવાય છે કે આ થપ્પડ ખૂબ જ જોરદાર હતી, જેના કારણે લલિતાના કાનનો પડદો ફાટી ગયો હતો અને તેની આંખને પણ નુકસાન થયું હતું. તે જ સમયે ખોટી સારવારને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ અને લલિતાના શરીરનો એક ભાગ પેરાલિસિસનો શિકાર બન્યો.

લલિતાએ હિંમત ન હારી

આટલા મોટા અકસ્માત પછી દરેક વ્યક્તિ ભાંગી જાય છે. પરંતુ લલિતાએ હિંમત ન હારી. અકસ્માતમાંથી સાજા થવામાં તેને સમય લાગ્યો, જો કે તે ફરી સાજી થઈ ફિલ્મી દુનિયામાં પાછી ફરી. હિરોઈન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આવી સ્થિતિમાં લલિતા પાત્રની ભૂમિકા તરફ વળ્યા. અને

રામાયણે તેમનું જીવન બદલી નાખ્યું

લલિતા પવારને તેમની અસલી ઓળખ રામાનંદ સાગરની પૌરાણિક સીરિયલ રામાયણથી મળી હતી. આ શોમાં તેણે મંથરાનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં પ્રાણ ફૂંક્યા હતા, જે આજે પણ યાદ છે. જોકે, આ પાત્ર જ તેની કાયમ માટે ઓળખ બની ગયું.

જિંદગીમાં ઘણા પડકારો સહન કર્યા

જીવનનું સપનું તૂટવા છતાં લલિતાએ હિંમતભેર ઊભા રહીને પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. તેણીના લગ્ન ગણપતરાવ પવાર સાથે થયા હતા. જેણે પણ તેની સાથે દગો કર્યો. ગણપત લલિતાની નાની બહેનના પ્રેમમાં પડ્યો. આ પછી લલિતાએ રાજપ્રકાશ ગુપ્તા સાથે લગ્ન કર્યા.

છેલ્લો સમય ખરાબ હતો

લલિતાના જીવનમાં મુશ્કેલીઓ તેનો સાથ છોડતી ના હતી. તે મોઢાના કેન્સરની ઝપેટમાં આવી હતી, જેની પુણેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનો છેલ્લો સમય ઘણો ખરાબ હતો. જ્યારે લલિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે તે પોતાના બંગલામાં એકલી હતી અને તેના પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે લલિતાને પાણી આપવા માટે કોઈ નહોતું અને 24 ફેબ્રુઆરી 1988ના રોજ તેનું અવસાન થયું હતું. તેના સમાચારની માહિતી ત્રણ દિવસ પછી જાણવા મળી. જ્યારે પોલીસે બંગલાના દરવાજો તોડ્યો ત્યારે તેમની ત્રણ દિવસ જૂની લાશ મળી આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Embed widget