શોધખોળ કરો

અભિનેતા દિલીપ શંકરનું નિધન, હોટલના રુમમાં મળ્યો મૃતદેહ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ 

મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકર આજે સવારે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ તિરુવનંતપુરમમાં વનરોઝ જંકશન પાસેની એક હોટલમાં રોકાયા હતા.

મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકર આજે સવારે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ તિરુવનંતપુરમમાં વનરોઝ જંકશન પાસેની એક હોટલમાં રોકાયા હતા. તેમના નિધનથી મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના મિત્રો અને ચાહકો આઘાતમાં છે. રિપોર્ટ અનુસાર, હોટલના એક સ્ટાફે તેમને હોટલના રૂમમાં મૃત જોયા અને તરત જ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. ઘણા અહેવાલો કહે છે કે દિલીપ ચાર દિવસ પહેલા 'પંચાગ્નિ' નામના ટીવી શોના શૂટિંગ માટે તિરુવનંતપુરમની એક હોટલમાં રોકાયા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


હોટલના સ્ટાફે રૂમમાં પ્રવેશ કર્યો અને મૃત હાલતમાં જોયા

દિલીપ શંકર એર્નાકુલમમાં રહે છે. હોટલના સ્ટાફે જણાવ્યું કે તે બે દિવસથી તેના રૂમમાંથી બહાર નિકળ્યા નથી. રવિવારે સવારે રૂમમાંથી આવતી દુર્ગંધને કારણે હોટલના સ્ટાફે રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને મૃત હાલતમાં જોયા. તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તિરુવનંતપુરમ  એસીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ફોરેન્સિક ટીમે રૂમની તપાસ કરી છે અને પોસ્ટમોર્ટમ પછી વધુ માહિતી આપવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર, શોમાં દિલીપ સાથે કામ કરી રહેલા દિગ્દર્શકે કહ્યું કે શૂટિંગમાં બે દિવસનો બ્રેક હતો અને આ દરમિયાન દિલીપે તેના કે તેના કોઈ પણ કો-એક્ટરના કોલનો જવાબ આપ્યો ન હતો. દિગ્દર્શકે તેમને એમ પણ કહ્યું કે દિલીપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડિત છે.

દિલીપ શંકરના મૃત્યુની માહિતી મળતાની સાથે જ અભિનેત્રી સીમા જી નાયરે ફેસબુક પર મલયાલમ ભાષામાં એક ભાવનાત્મક પોસ્ટ લખી, જેનો અનુવાદ છે, “તમે મને પાંચ દિવસ પહેલા ફોન કર્યો હતો અને હું વાત કરી શકી નહોતી કારણ કે તે દિવસે મને માથામાં દુખાવો હતો. હવે મને આ સમાચારની ખબર ત્યારે પડી જ્યારે એક પત્રકારે મને ફોન કર્યો. દિલીપ તમને શું થયું... આવું કેમ થયું, ભગવાન, મને શું લખવું એ પણ સમજાતું નથી... તમને મારી શ્રદ્ધાંજલિ.”

કોણ હતા દિલીપ શંકર ?

દિલીપ મલયાલમ ફિલ્મ અને ટીવી જગતનો જાણીતો ચહેરો હતા. તેમણે 'અમ્મારિયાથે', 'સુંદરી' અને 'પંચાગ્નિ' જેવા હિટ ટીવી શોથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમણે 2011માં 'ચપ્પા કુરીશ' અને 2013માં 'નોર્થ 24' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ

વિડિઓઝ

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
Embed widget