શોધખોળ કરો

Raju Srivastava Biography: સત્ય પ્રકાશમાંથી કેવી રીતે બની ગયા રાજુ શ્રીવાસ્તવ? કોમેડિયનની આ રીતે બદલાઇ જિંદગી

કાનપુરની ગલીઓમાંથી મુંબઈના કોરિડોરમાં પોતાની ઓળખ બનાવનાર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. બધાને હસાવનાર રાજુના જીવનની સફર ઘણી ખાસ હતી.

Raju Srivastava Biography: કાનપુરની ગલીઓમાંથી મુંબઈના કોરિડોરમાં પોતાની ઓળખ બનાવનાર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે આજે  દુનિયાને અલવિદા કહી દીધું છે. બધાને હસાવનાર રાજુના જીવનની સફર ઘણી ખાસ હતી.

સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ એટલે કે સૌ કોઇના  પ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આજે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિલ્હીની એમ્સ દાખલ રાજુ શ્રીવાસ્તવે  છેલ્લા 42 દિવસથી જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવ આખરે જીવનની આ લડાઈ હારી ગયા અને  દુનિયાને  અલવિદા કહી દીધું. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે જીમમાં તેઓ બેભાન થઇ ગયા હતા બાદ તેને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 10મીએ જ  રાજુની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી હતી. રાજુ શ્રીવાસ્તવ એન્જીયોપ્લાસ્ટીથી વેન્ટિલેટર પર હતા. રાજુના પરિવારની વાત કરીએ તો વર્ષ 1993માં રાજુએ શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે, પુત્રી અંતરા અને પુત્ર આયુષ્માન.

કવિ પરિવારમાં જન્મ

રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. રાજુના પિતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ જાણીતા કવિ હતા અને તેઓ બલાઈ કાકા તરીકે પ્રખ્યાત હતા. કાનપુરમાં તેમના પિતાનો વિશેષ દરજ્જો હતો. શરૂઆતના દિવસોમાં રાજુને સેલેબ્સની મિમિક્રી કરવાનો શોખ હતો, જેના દ્વારા તે લોકોનું મનોરંજન કરતો હતો. ધીરે ધીરે રાજુ શ્રીવાસ્તવે માત્ર ઘર અને શાળામાં જ નહીં પણ બર્થજે પાર્ટીઓ વગેરેમાં પણ લોકોનું મનોરંજન કરવાનું શરૂ કર્યું. જો કે, આ શોખ માટે તેની માતા તેને ઘણી વાર ઠપકો આપતી હતી કારણ કે તે ઈચ્છતી હતી કે રાજુ ભણીને ગણીને સારી નોકરી કરે. પરંતુ નિયતિને કંઇ બીજું જ મંજૂર હતું.

શોલેએ રાજુનું ભાગ્ય બદલી નાખ્યું

રાજુ શ્રીવાસ્તવ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મોટા ફેન હતા એ વાત કોઈનાથી છુપી નથી. તે ઘણીવાર તેના અભિનયમાં તેની નકલ કરતા જોવા મળતા, તેણે ઘણી વખત પરફોર્મ કર્યું છે, ખાસ કરીને કૌન બનેગા કરોડપતિને લઈને. શોલે ફિલ્મ જોઈને રાજુના નસીબે વળાંક લીધો. કહેવાય છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પાત્ર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેના વિશે ઘણા કોમિક નાટકો કર્યા હતા.

મુંબઈમાં સંઘર્ષ થયો

1982 માં, ઉત્તર પ્રદેશના કેટલાક મોટા શહેરોમાં કાનપુરનું નામ બનાવ્યા પછી, રાજુ મુંબઈ ગયો. પરંતુ મુંબઈમાં સ્થાન બનાવવું એટલું સરળ નહોતું. શરૂઆતના દિવસોમાં તેણે કેટલાક સ્થાનિક ઓર્કેસ્ટ્રા સાથે સ્ટેજ શો કર્યા હતા. આ દરમિયાન તેઓ ઘણીવાર અમિતાભ બચ્ચનની નકલ કરતા હતા અને તેમને છોટા અમિતાભ કહેવામાં આવતા હતા. આ સમય દરમિયાન તેને કેટલીક ફિલ્મોમાં બ્રેક પણ મળ્યો જેમાં મૈને પ્યાર કિયા અને તેઝાબ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. જો કે, તેમની આ ભૂમિકાઓએ તેમને ઉદ્યોગમાં વધુ ઓળખ બનાવવામાં મદદ કરી.

લાફ્ટર ચેલેન્જે જીવન બદલી નાખ્યું

રાજુ સ્ટેજ શો, ફિલ્મો અને ટીવી સિરિયલોમાં નાની ભૂમિકાઓ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે સ્ટારના શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. આ શોમાં ભલે રાજુ સેકન્ડ રનર અપ રહ્યો પરંતુ ગજોધર ભૈયા કે અમિતાભ બચ્ચનની મિમિક્રી રાજુએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી. તે પછી, તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

રાજકારણમાં પણ હાથ અજમાવ્યો

કોમેડી સિવાય રાજુ શ્રીવાસ્તવે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. રાજુએ 2014માં લોકસભા ચૂંટણી માટે કાનપુર સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ આપી હતી પરંતુ 11 માર્ચ 2014ના રોજ શ્રીવાસ્તવે એ કહીને ટિકિટ પાછી આપી હતી કે તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી પૂરતું સમર્થન મળતું નથી. તે પછી, તેઓ 19 માર્ચ 2014 ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ બનવા માટે નામાંકિત કર્યા હતા. ત્યારથી તેઓ જુદા જુદા શહેરોમાં પોતાના કાર્યક્રમો દ્વારા સ્વચ્છતાને આગળ વધાર્યું હતું.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget