શોધખોળ કરો

Raju Srivastava Biography: સત્ય પ્રકાશમાંથી કેવી રીતે બની ગયા રાજુ શ્રીવાસ્તવ? કોમેડિયનની આ રીતે બદલાઇ જિંદગી

કાનપુરની ગલીઓમાંથી મુંબઈના કોરિડોરમાં પોતાની ઓળખ બનાવનાર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. બધાને હસાવનાર રાજુના જીવનની સફર ઘણી ખાસ હતી.

Raju Srivastava Biography: કાનપુરની ગલીઓમાંથી મુંબઈના કોરિડોરમાં પોતાની ઓળખ બનાવનાર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે આજે  દુનિયાને અલવિદા કહી દીધું છે. બધાને હસાવનાર રાજુના જીવનની સફર ઘણી ખાસ હતી.

સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ એટલે કે સૌ કોઇના  પ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આજે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિલ્હીની એમ્સ દાખલ રાજુ શ્રીવાસ્તવે  છેલ્લા 42 દિવસથી જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવ આખરે જીવનની આ લડાઈ હારી ગયા અને  દુનિયાને  અલવિદા કહી દીધું. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે જીમમાં તેઓ બેભાન થઇ ગયા હતા બાદ તેને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 10મીએ જ  રાજુની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી હતી. રાજુ શ્રીવાસ્તવ એન્જીયોપ્લાસ્ટીથી વેન્ટિલેટર પર હતા. રાજુના પરિવારની વાત કરીએ તો વર્ષ 1993માં રાજુએ શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે, પુત્રી અંતરા અને પુત્ર આયુષ્માન.

કવિ પરિવારમાં જન્મ

રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. રાજુના પિતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ જાણીતા કવિ હતા અને તેઓ બલાઈ કાકા તરીકે પ્રખ્યાત હતા. કાનપુરમાં તેમના પિતાનો વિશેષ દરજ્જો હતો. શરૂઆતના દિવસોમાં રાજુને સેલેબ્સની મિમિક્રી કરવાનો શોખ હતો, જેના દ્વારા તે લોકોનું મનોરંજન કરતો હતો. ધીરે ધીરે રાજુ શ્રીવાસ્તવે માત્ર ઘર અને શાળામાં જ નહીં પણ બર્થજે પાર્ટીઓ વગેરેમાં પણ લોકોનું મનોરંજન કરવાનું શરૂ કર્યું. જો કે, આ શોખ માટે તેની માતા તેને ઘણી વાર ઠપકો આપતી હતી કારણ કે તે ઈચ્છતી હતી કે રાજુ ભણીને ગણીને સારી નોકરી કરે. પરંતુ નિયતિને કંઇ બીજું જ મંજૂર હતું.

શોલેએ રાજુનું ભાગ્ય બદલી નાખ્યું

રાજુ શ્રીવાસ્તવ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મોટા ફેન હતા એ વાત કોઈનાથી છુપી નથી. તે ઘણીવાર તેના અભિનયમાં તેની નકલ કરતા જોવા મળતા, તેણે ઘણી વખત પરફોર્મ કર્યું છે, ખાસ કરીને કૌન બનેગા કરોડપતિને લઈને. શોલે ફિલ્મ જોઈને રાજુના નસીબે વળાંક લીધો. કહેવાય છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પાત્ર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેના વિશે ઘણા કોમિક નાટકો કર્યા હતા.

મુંબઈમાં સંઘર્ષ થયો

1982 માં, ઉત્તર પ્રદેશના કેટલાક મોટા શહેરોમાં કાનપુરનું નામ બનાવ્યા પછી, રાજુ મુંબઈ ગયો. પરંતુ મુંબઈમાં સ્થાન બનાવવું એટલું સરળ નહોતું. શરૂઆતના દિવસોમાં તેણે કેટલાક સ્થાનિક ઓર્કેસ્ટ્રા સાથે સ્ટેજ શો કર્યા હતા. આ દરમિયાન તેઓ ઘણીવાર અમિતાભ બચ્ચનની નકલ કરતા હતા અને તેમને છોટા અમિતાભ કહેવામાં આવતા હતા. આ સમય દરમિયાન તેને કેટલીક ફિલ્મોમાં બ્રેક પણ મળ્યો જેમાં મૈને પ્યાર કિયા અને તેઝાબ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. જો કે, તેમની આ ભૂમિકાઓએ તેમને ઉદ્યોગમાં વધુ ઓળખ બનાવવામાં મદદ કરી.

લાફ્ટર ચેલેન્જે જીવન બદલી નાખ્યું

રાજુ સ્ટેજ શો, ફિલ્મો અને ટીવી સિરિયલોમાં નાની ભૂમિકાઓ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે સ્ટારના શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. આ શોમાં ભલે રાજુ સેકન્ડ રનર અપ રહ્યો પરંતુ ગજોધર ભૈયા કે અમિતાભ બચ્ચનની મિમિક્રી રાજુએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી. તે પછી, તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

રાજકારણમાં પણ હાથ અજમાવ્યો

કોમેડી સિવાય રાજુ શ્રીવાસ્તવે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. રાજુએ 2014માં લોકસભા ચૂંટણી માટે કાનપુર સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ આપી હતી પરંતુ 11 માર્ચ 2014ના રોજ શ્રીવાસ્તવે એ કહીને ટિકિટ પાછી આપી હતી કે તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી પૂરતું સમર્થન મળતું નથી. તે પછી, તેઓ 19 માર્ચ 2014 ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ બનવા માટે નામાંકિત કર્યા હતા. ત્યારથી તેઓ જુદા જુદા શહેરોમાં પોતાના કાર્યક્રમો દ્વારા સ્વચ્છતાને આગળ વધાર્યું હતું.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
Embed widget