શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા ઉલ્ટા....’માં દયાબેનની વાપસી, નવું રૂપ જોઈને બધા.....
દયા ગોકુલધામ નહીં આવે તો પોતે ગરબા નહીં રમે તેવું એલાન કરનારા જેઠાલાલને મનાવવા માટે તેમના સાળા સુંદરલાલને સફળતા મળી હતી.
નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકમીની વાપસી થઈ ગઈ છે. છેલ્લા એપિસોડમાં દયાબેનને બતાવવામાં આવ્યા હતા. શોમાં તેની વાપસીથી ફેન્સ ખુશ છે. સોશિયલ મીડિયા પર આ એપિસોડનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે બે વર્ષ બાદ પરત ફર્યા બાદ દયાબેન ઘમાં બદલાયેલા દેખાઈ રહ્યા હતા. તેના આ નવા લુકથી બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
દયા ગોકુલધામ નહીં આવે તો પોતે ગરબા નહીં રમે તેવું એલાન કરનારા જેઠાલાલને મનાવવા માટે તેમના સાળા સુંદરલાલને સફળતા મળી હતી. ગરબા પતાવીને બાપુજી, ટપુ અને જેઠાલાલ પોતાના ઘરે આવ્યા ત્યારે દયાના નંબર પરથી ફોન આવ્યો, પરંતુ સામેથી સુંદરનો અવાજ સંભળાતા જેઠાલાલે ગુસ્સામાં ફોન મૂકી દીધો. તેટલામાં તે જ નંબર પરથી વિડીયો કોલ આવ્યો, અને તેમાં દયાને જોતા જ જેઠાલાલ રાજીના રેડ થઈ ગયા. બંને વચ્ચે ખૂબ લાંબી વાત થઈ, બાપુજી અને ટપુએ પણ દયા સાથે વાત કરી.
દયા પોતે માતાજીન વિશેષ પૂજા કરવા માટે આવી છે તેમ જણાવી તેના લીધે જ ગોકુલધામ ન આવી શકી તેવું જેઠાલાલને કહ્યું હતું. પોતાને પણ જેઠાલાલ તેમજ બાપુજી અને ટપુની યાદ આવતી હોવાનું દયાબેને જણાવ્યું હતું. એટલું જ નહીં, જલ્દી પાછા આવવાની પણ વાત કરી હતી. જોકે, હાલની સ્થિતિમાં ફરી દયાની રિ-એન્ટ્રી વિલંબમાં મૂકાઈ હોય તેમ લાગી રહ્યું છે.
અગાઉ પણ આ રીતે એક એપિસોડમાં દયા અને જેઠાલાલને ફોન પર જ વાતો કરતા બતાવાયાં હતાં. તેના એકાદ વર્ષ બાદ ગઈકાલે ફરી દયાબેન દેખાયા હતા. સોશિયલ મીડિયા પર પણ દયાબેનની રિ-એન્ટ્રીને લઈને ખાસ્સી ચર્ચા થઈ રહી છે. કેટલાક દર્શકોએ દયાબેનની એન્ટ્રીને લઈને ખોટેખોટી સિરીયલ ખેંચવામાં આવી રહી છે તેવી ફરિયાદ પણ કરી હતી, તો કેટલાકે દયાબેન નહીં આવે ત્યાં સુધી પોતે સિરીયલ નહીં જુએ તેમ પણ કહ્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion