શોધખોળ કરો
‘ડૉ. હાથી’ની અંતિમક્રિયા વખતે ‘બબીતાજી’ને આવ્યો ગુસ્સો, જાણો શું હતું કારણ....
1/4

મુનમુને લખ્યું કે, “સેલ્ફી લેવા માટે મારા ચહેરા આગળ ફોન ધરી રહેલા બે લોકોને મેં ખખડાવ્યા. આસપાસની બિલ્ડિંગના લોકો અમને જોઈને હસી રહ્યા હતા અને અમારી તસવીરો લઈ રહ્યા હતા. તેમના ચહેરા પર મને કોઈ દુઃખ કે આદરભાવ ન જોવા મળ્યો. એટલે જ કોઈપણ પ્રકારનો તમાશો થાય તે પહેલાં હું એ સ્થળેથી નીકળી ગઈ.”
2/4

મુનમુને લખ્યું કે, “આવી દુઃખની ઘડીમાં પણ લોકો કેટલા નિર્દયી હોઈ શકે છે તે જોવા મળ્યું. એક સેલ્ફી માટે લોકોએ મોતનો મલાજો પણ ન જાળવ્યો. સેલ્ફી પણ એટલા માટે લેવી હતી કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકો, વ્હોટ્સએપ પર ફોરવર્ડ કરી શકો અને બીજા સામે એક્ટર સાથે સેલ્ફી લીધાની બડાઈઓ હાંકી શકો. આવા દુઃખના પ્રસંગોએ સામાન્ય લોકો દુઃખમાં ભાગીદાર થવા નહીં પરંતુ સેલિબ્રિટીઝ સાથે તસવીરો લેવા અને તેમને જોવા આવે છે.”
Published at : 12 Jul 2018 01:05 PM (IST)
View More





















