શોધખોળ કરો

Joyland India Release: પાકિસ્તાને પોતાની ફિલ્મ પર લગાવ્યો હતો પ્રતિબંધ, ભારતમાં આ દિવસે થઈ રહી છે રિલીઝ!

Joyland: ફિલ્મ 'જોયલેન્ડ પાકિસ્તાન તરફથી સત્તાવાર રીતે ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતમાં ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ શેર કરી છે.

Joyland India Release: પાકિસ્તાનમાં 'જોયલેન્ડ'ને લઈને ઘણો વિવાદ થયો હતો. 'વાંધાજનક' કન્ટેન્ટને ટાંકીને ઘણા પાકિસ્તાની સંગઠનોએ આ ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરી હતી. સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર હોવા છતાં સરકારે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લાદ્યો હતો. જે પછીથી હટાવી લેવામાં આવ્યો હતો. હવે 'જોયલેન્ડ' ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે.

પાકિસ્તાને પોતાની ફિલ્મ પર લગાવ્યો હતો પ્રતિબંધ

ફિલ્મ 'જોયલેન્ડ પાકિસ્તાન તરફથી સત્તાવાર રીતે ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતમાં ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ શેર કરી છે. મેકર્સે તેમની પોસ્ટમાં લખ્યું, 'અમે વિશ્વભરના દર્શકો સાથે જોયલેન્ડ શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ!' ફિલ્મના પોસ્ટરની સાથે મેકર્સે અલગ-અલગ દેશોમાં ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. 'જોયલેન્ડ' ભારતમાં 10 માર્ચે રિલીઝ થશે.

ભારતમાં આ દિવસે થઈ રહી છે રિલીઝ!

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી 'જોયલેન્ડ' પહેલી પાકિસ્તાની ફિલ્મ છે. આ ફિલ્મને કાન્સમાં સ્ક્રિનિંગના અંતે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું અને ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી પ્રાઈઝ પણ એનાયત કરવામાં આવ્યું હતું. વિશ્વભરના વિવેચકોએ 'જોયલેન્ડ'ની ખૂબ પ્રશંસા કરી છે અને આ પ્રશંસાને ધ્યાનમાં રાખીને, તેને ઓસ્કારની 'શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ' શ્રેણીમાં પાકિસ્તાન તરફથી સત્તાવાર એન્ટ્રી કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં રિલીઝ વખતે વિવાદ થયો હતો

ડિરેક્ટર સામ સાદિકની ફિલ્મ 'જોયલેન્ડ'ને લઈને પાકિસ્તાનમાં ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મ 18 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી અને તેને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી ચૂક્યું હતું. પરંતુ રિલીઝ પહેલા જ ઘણા સંગઠનો અને રાજકીય પક્ષોએ ફિલ્મનો વિરોધ શરૂ કરી દીધો અને તેને 'વાંધાજનક' અને દેશના 'નૈતિક અને સામાજિક આદર્શો' વિરુદ્ધ ગણાવી. સરકારે 'જોયલેન્ડ' વિશે મળેલી ફરિયાદોને ટાંકીને તેની રજૂઆત પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર આ પ્રતિબંધની ઘણી ટીકા થઈ હતી. દિગ્દર્શક સામ સાદીકે પોતાની ફિલ્મ પરના પ્રતિબંધને 'ગેરબંધારણીય અને ગેરકાયદેસર' ગણાવ્યો હતો. ફિલ્મની ટ્રાન્સજેન્ડર એક્ટર અલીના ખાને પોતાના નિવેદનમાં કહ્યું કે, 'ફિલ્મમાં કંઈ પણ ઈસ્લામ વિરુદ્ધ નથી અને મને સમજાતું નથી કે માત્ર ફિલ્મો દ્વારા ઈસ્લામ કેવી રીતે જોખમમાં આવી શકે છે.' પાકિસ્તાની ફિલ્મ કલાકારો અને જનતાની ટીકા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે 'જોયલેન્ડ' પરના પ્રતિબંધની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આખરે, 16 નવેમ્બરના રોજ, ફિલ્મની નિર્ધારિત રિલીઝ તારીખના બે દિવસ પહેલા, ફિલ્મના કેટલાક દ્રશ્યો સેન્સર થયા બાદ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

ભારતમાં પાકિસ્તાની ફિલ્મો પર પ્રતિબંધ છે

ટીકાકારોની પ્રશંસા અને ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવવા છતાં ભારતમાં 'જોયલેન્ડ'ની રજૂઆત જોખમમાં છે. તમને જણાવી દઈએ કે 2016માં ઉરી હુમલા બાદ ભારતે પાકિસ્તાની કલાકારો પર અહીં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના જવાબમાં પાકિસ્તાને પણ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ પાકિસ્તાની સિનેમા અને થિયેટરોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર 2016માં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. જો કે, 2019 માં, જ્યારે ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી ત્યારે પાકિસ્તાન તરફથી જવાબમાં ઘણા પગલાં લેવામાં આવ્યા. તેમાંથી એક એ પણ હતું કે ભારતીય ફિલ્મો પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.

હવે એ જોવાનું રસપ્રદ છે કે પાકિસ્તાની કલાકારો અને ફિલ્મો પરના પ્રતિબંધ બાદ 'જોયલેન્ડ' ભારતમાં થિયેટરોમાં પહોંચી શકશે કે કેમ. જોકે 'જોયલેન્ડ' નવેમ્બર 2022માં ધર્મધલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ડિસેમ્બરમાં કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે. જો 'જોયલેન્ડ' ભારતમાં રિલીઝ થશે તો છેલ્લા એક દાયકામાં ભારતમાં રિલીઝ થનારી તે પહેલી પાકિસ્તાની ફિલ્મ હશે. આ પહેલા ભારતીય થિયેટરોમાં રિલીઝ થનારી છેલ્લી પાકિસ્તાની ફિલ્મ 'બોલ' હતી.  જે 2011માં રિલીઝ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget