શોધખોળ કરો
Ramayanના પ્રસારણ બાદ હવે ટ્વિટર પર આવ્યા અરૂણ ગોવિલ, બોલ્યા-જયશ્રી રામ
દૂરદર્શન પર સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે રામાયરણ પ્રસારિત થાય છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતાં ભારતમાં 21 દિવસનું Lockdown જાહેર કરાયું છે. લોકો ઘરની બહાર ન નીકળે તે માટે દૂરદર્શન પરથી લોકપ્રિય સીરિયલ રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. લોકો પણ આ સીરિયલને પસંદ કરી રહ્યા ચે. રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો રોલ નિભાવનારા એકટર અરૂણ ગોવિલ ટ્વિટર પર ફેન્સ સાથે જોડાઈ ગયો છે. આ વાતની જાણકારી ખુદ ગોવિલે આપી છે. તેણે ટ્વિટર જોઈન કર્યુ હોવાને લઈ કરેલુ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. અરૂણ ગોવિલે ટ્વિટ કરીને લખ્યું, આખરે હું પણ ટ્વિટર પર જોડાઈ ગયો છું. જયશ્રી રામ. તેના આ ટ્વિટ પર લોકો કોમેન્ટ કરવાની સાથે સ્વાગત પણ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું, તમારું હાસ્ય તમામ દુઃખોને ખતમ કરી દે છે, સ્વાગત છે. થોડા દિવસો પહેલા પ્રેસ ઇન્ફોમેશન બ્યૂરો (પીઆઇબી)એ એક ટ્વિટમાં જણાવ્યુ કે, બાર્ક રેટિંગમાં રામાયણના રિપીટ શોએ બાજી મારી છે. પીઆઇબીએ ટ્વિટમાં લખ્યું કે, બાર્ક અનુસાર દૂરદર્શન પર રામાયણના રિ ટેલિકાસ્ટ હિંદી GEC (જનરલ એન્ટરટેઇમેન્ટ ચેનલ) શો કેટેગરીમાં 2015 બાદથી અત્યાર સુધી હાઇએસ્ટ રેટિંગ મેળવ્યું છે. પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખરે પણ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, 2015માં જ્યારથી બાર્કએ ટીવી ઓડિયન્સ મેજરમેન્ટ શરૂ કર્યું ત્યારથી રામાયણના કારણે દૂરદર્શને પણ રેકોર્ડ બનાવ્યો છે. જેથી સ્પષ્ટ છે કે કોરોનાના જંગ દરમિયાન લોકો રામાયણ દેખવાનું પસંદ કરી રહ્યા છે. હાલ લોકડાઉનના સમયે દૂરદર્શન પર સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે રામાયરણ પ્રસારિત થાય છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















