![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમોલ પાલેકરની તબિયત લથડી, પૂણેની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ઇલાજ, સ્વાસ્થ્ય વિશે વાત કરતા પત્નીએ કહ્યું....
અભિનેતા અમોલ પાલેકરની તબિયત લથડતાં તેમને પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ ગત વર્ષથી ફેફસાં સંબંધિત સમસ્યાથી પીડિત છે.
![અમોલ પાલેકરની તબિયત લથડી, પૂણેની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ઇલાજ, સ્વાસ્થ્ય વિશે વાત કરતા પત્નીએ કહ્યું.... Veteran Actor And Director Amol Palekar Condition Stable અમોલ પાલેકરની તબિયત લથડી, પૂણેની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ઇલાજ, સ્વાસ્થ્ય વિશે વાત કરતા પત્નીએ કહ્યું....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/10/659ea10c823b44e123783993d68fca1b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હિન્દી સિનેમામાં સતત ત્રણ સિલ્વર જ્યુબિલી ફિલ્મોમાં પદાર્પણ કરનાર એકમાત્ર અભિનેતા અમોલ પાલેકર ઝડપથી સુધરી રહ્યો છે. ફેફસાની સમસ્યાને કારણે તેમને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ફેફસાની સમસ્યાથી પરેશાન છે. તેમની પત્ની સંધ્યા ગોખલેના જણાવ્યા અનુસાર, "અમોલ પાલેકર સ્વસ્થ થઈ રહ્યાં છે અને તેમની તબિયત પહેલા કરતા ઘણો સુધાર જોવા મળી રહ્યો છે"
24 નવેમ્બર 1944ના રોજ જન્મેલા અમોલ પાલેકરને હૃષીકેશ મુખર્જીની ક્લાસિક કોમેડી ફિલ્મ 'ગોલ માલ' માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. પરંતુ, તેની કારકિર્દીને શિખર પર લઇન જનાર ત્રણ ફિલ્મ હતી. જેના માટે પણ તેમને તેમને અવોર્ડ઼ મળ્યાં હતા. 'રજનીગંધા', 'છોટી સી બાત' અને 'ચિતચોર'. આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને ત્રણેય ફિલ્મોએ થિયેટરોમાં 25 અઠવાડિયા સુધી ચાલીને જ્યુબિલી મનાવી હતી. નોંધપાત્ર રીતે, આ ત્રણેય ફિલ્મો 1974 થી 1976 ની વચ્ચે રિલીઝ થઈ હતી, જે સમયને હિન્દી સિનેમામાં એંગ્રી યંગ મેનનો સમયગાળો કહેવામાં આવે છે. અમોલ પાલેકરને સિનેમાના આમ આદમી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે સમયગાળા દરમિયાન પણ અમોલ પાલેકરે સાદી, સરળ અને પારિવારિક ફિલ્મો દ્વારા ખ્યાતિ મેળવી હતી.
હિન્દી સિનેમાની ચર્ચિત ફિલ્મમાં કામ કર્યું
'બાજીરાવ બેટા' (1969) અને 'શાંતા! 'કોર્ટ ચાલુ આહે' (1971) જેવી મરાઠી ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અમોલ પાલેકરે હિન્દી સિનેમાની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 1981માં આવેલી મરાઠી ફિલ્મ 'આક્રિયત'થી ફિલ્મ દિગ્દર્શક તરીકે પણ ડેબ્યૂ કર્યું હતું. પાછળથી વર્ષ 2005માં, અમોલ પાલેકરે શાહરૂખ ખાન અને રાની મુખર્જી સાથે ફિલ્મ 'પહેલી' બનાવી, જેને ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી. તેમની છેલ્લું નિર્દેશિત મરાઠી ફિલ્મ 'ધુસર' રહી જે વર્ષ 2011માં રિલીઝ થઇ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)