![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
SK Bhagavan: કન્નડ દિગ્દર્શક એસકે ભગવાનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં, સીએમ બસવરાજ બોમાઈએ વ્યક્ત કર્યો શોક
છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક ઘણા સેલેબ્સના મોતના સમાચારે હચમચાવી દીધા છે ત્યારે આજ રોજ કન્નડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસકે ભગવાનનું હવે નિધન થયું છે.
![SK Bhagavan: કન્નડ દિગ્દર્શક એસકે ભગવાનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં, સીએમ બસવરાજ બોમાઈએ વ્યક્ત કર્યો શોક Veteran Kannada director SK Bhagavan passes away at 90, tributes pour in SK Bhagavan: કન્નડ દિગ્દર્શક એસકે ભગવાનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં, સીએમ બસવરાજ બોમાઈએ વ્યક્ત કર્યો શોક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/20/9968a3d54f43747aa498e2ef096aa441167688672581481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SK Bhagavan passes away: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત કન્નડ નિર્દેશક એસકે ભગવાનનું 89 વર્ષની વયે નિધન થયું છે. ફેબ્રુઆરી 2023માં અત્યાર સુધીમાં 6 સેલેબ્સનું મૃત્યુ થયું છે. જેણે બધાને ચોંકાવી દીધા છે. એસકે ભગવાન તેમની બોન્ડ સ્ટાઇલની ફિલ્મો માટે જાણીતા હતા.
કન્નડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસકે ભગવાનનું હવે નિધન
એવું લાગે છે કે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ પર કોઈની ખરાબ નજર પડી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક ઘણા સેલેબ્સના મોતના સમાચારે હચમચાવી દીધા છે. જ્યારે 19 ફેબ્રુઆરી રવિવારના રોજ કોમેડિયન મયિલસામીના નિધનના સમાચાર આવ્યા છે. ત્યારે આજ રોજ કન્નડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસકે ભગવાનનું હવે નિધન થયું છે. એસકે ભગવાન 89 વર્ષના હતા અને વય સંબંધિત બિમારીઓથી પીડિત હતા.
ಕನ್ನಡ ಚಲನಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಿರ್ದೇಶಕ ಶ್ರೀ ಎಸ್. ಕೆ. ಭಗವಾನ್ ರವರ ನಿಧನದ ಸುದ್ದಿ ತಿಳಿದು ಮನಸ್ಸಿಗೆ ಅತ್ಯಂತ ಬೇಸರವಾಯಿತು. ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಸದ್ಗತಿ ಕೋರುತ್ತೇನೆ. ಅವರ ಕುಟುಂಬವರ್ಗದವರಿಗೆ ಈ ನೋವನ್ನು ಸಹಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಭಗವಂತ ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ.
— Basavaraj S Bommai (@BSBommai) February 20, 2023
1/2 pic.twitter.com/KNUL0Gh1wt
એસ.કે.ભગવાનની તબિયત કેટલાક સમયથી ઠીક ન હતી. ડિસેમ્બર 2022માં પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી. તેમના યાદગાર યોગદાનને પણ યાદ કર્યું.
સીએમ બસવરાજ બોમાઈએ શ્રદ્ધાંજલિ આપી
કર્ણાટક સીએમ બસવરાજ બોમાઈએ ટ્વિટર પર લખ્યું, 'એસકે ભગવાનના નિધનના સમાચાર સાંભળીને મોટો આઘાત લાગ્યો છે. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની હિંમત આપે. દોરાઈ-ભગવાનની જોડીએ કન્નડ સિનેમામાં ઘણી યાદગાર ફિલ્મો આપી. તેઓએ એકસાથે 55 ફિલ્મો કરી, જેમાં 'કસ્તુરી નિવાસ', 'બ્યાલુ દારી' અને હોસા લેકુક જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
થિયેટરથી શરૂઆત કરી, બોન્ડ સ્ટાઈલની ફિલ્મોથી ઓળખ
એસકે ભગવાને થિયેટર જગતથી થિયેટરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1956માં, તેમણે કનાગલ પ્રભાકર સાથે સહાયક તરીકે કામ કર્યું. દોરાઈ-ભગવાનની જોડી કન્નડ સિનેમામાં ફિલ્મ નિર્માતાઓની પ્રથમ જોડી હતી જે બોન્ડ શૈલીની ફિલ્મો બનાવવા માટે જાણીતી હતી. આ જોડી દ્વારા નિર્દેશિત બોન્ડ શૈલીની ફિલ્મોમાં 'જીવન ચૈત્ર', 'ગોવા દલ્લી CID 999', 'ઓપરેશન જેકપોટ નલ્લી સૈદી 999' અને ઓપરેશન ડાયમંડ રેકેનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી 2023માં 6 સેલેબ્સનું અવસાન થયું
એસકે ભગવાનના નિધનથી સમગ્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. એક પછી એક મૃત્યુથી દરેક જણ દુઃખી છે. ફેબ્રુઆરી 2023માં આ દુનિયાને અલવિદા કહેનારા દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સેલેબ્સમાં કે વિશ્વનાથ, વાણી જયરામ, ટીપી ગજેન્દ્રન, તારક રત્ન અને મયિલસામીના નામનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)