શોધખોળ કરો
રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ 125 ચો.મી. સુધી બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે
1/5

નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં એક સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેના કારણે સમાન પરફોર્મન્સ રેગ્યુલેશન દ્વારા વહીવટી અને વિકાસ કામગીરીમાં એકસૂત્રતા આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 125 ચો.મી. સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે હવે રાજ્યના નાગરિકોને નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસેથી બાંધકામની મંજૂરી લેવામાંથી મુક્તિ પણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
2/5

ગાંધીનગરઃ રાજ્યની ભાજપ સરકારે પોતાની માલિકીના પ્લોટ પર ઘરનું ઘર બાંધવાનું સપનું જોતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હુતં કે, હવેથી રાજ્યના મહાનગરપાલિકા અને નગરપાલિકાના નાગરિકોને 125 ચોરસ મીટર સુધી બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે.
Published at : 02 Sep 2016 03:32 PM (IST)
View More





















