શોધખોળ કરો
આજે પાસ-સરકાર વચ્ચે બીજી મીટિંગ, મીટિંગ પૂર્વે જ હાર્દિકનો અલગ રાગ
1/4

હાર્દિક પટેલના નેજા હેઠળ નવ નિર્માણ સેના દ્વારા પાટીદાર આંદોલન દરમિયાન જે પોલીસ દમન, સમાજના લોકો વિરૂધ્ધ કેસ કરાયા તે અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળીને માહિતી આપવા માટે પણ સમય માગવામાં આવ્યો છે. જેમાં રાજયમાં બંધારણીય સંકટ, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પર ઉત્પીડન વિગેરેનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજયમાં લોકતંત્ર ખતરામાં હોવાની અને બંધારણીય સત્તાઓ ભાંગી પડી હોવાનો પણ દાવો કરાયો.
2/4

પાસના અગ્રણી દિનેશ બાંભણિયા અને વરૂણ પટેલે જણાવ્યું છે કે ગુરુવારે સરકારને કેટલાક દસ્તાવેજો આપવામાં આવશે જેમાં પાટીદાર સમાજને બંધારણીય રીતે ઓબીસીમાં સમાવીને અનામત કેવી રીતે આપી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ૫૦ ટકા કરતા વધુ અનામત અપાઇ છે તે અંગે પણ સરકારને માહિતી આપવામાં આવશે. દરમિયાન હાર્દિક પટેલે મીટિંગને લઇને જણાવ્યું છે કે, પાસના ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ સચિવાલય ખાતે સરકારને પુરાવા આપશે પરંતુ બીજી તરફ પાટીદાર સમાજને તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
Published at : 08 Dec 2016 08:15 AM (IST)
View More























