આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
2/4
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના અક્ષરધામ મંદિરના રજયજયંતિની ઉજવણીમાં હાજરી આપવા ગુજરાત આવી રહ્યા છે. બોચાસણવાસી શ્રીઅક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આ મંદિરને 25 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજીત સમારોહમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. વડાપ્રધાન સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.
3/4
આજથી 3 દિવસ માટે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. વડાપ્રધાન મોદી રાજભવનથી અક્ષરધામ જશે. બે કલાક સુધી અક્ષરધામ મંદિરના કાર્યક્રમમાં રોકાશે. બાદમાં સાંજે 8:30 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.
4/4
ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 1992માં બનીને તૈયાર થયું હતું. અક્ષરધામ મંદિર 23 એકરમાં પથરાયેલું છે. આજે અક્ષરધામને 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ગુરુ યોગીજી મહારાજે 6 ઓગસ્ટ, 1970એ હાલ જ્યાં અક્ષરધામ છે તે સ્થળે મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. દિલ્હી અક્ષરધામ પણ ગુરુજીની આજ્ઞાને અનુસરીને પ્રમુખ સ્વામીએ બનાવ્યું છે.