શોધખોળ કરો
ભાવનગરઃ 16 દિવસના બાળકની હત્યામાં થયો ચોંકવનારો ખુલાસો, હત્યારાનું નામ જાણી વરસાવશો ફિટકાર
1/4

ભાવનગરઃ ગઈ કાલે શહેરના કુંભારવાડામાં 16 વર્ષના બાળકના અપહરણ અને હત્યાના સમાચારને કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બાવા બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતાં ઘટનાસ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પછી બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી, ત્યારે આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
2/4

આ અંગેની વિગતો એવી છે કે, કુંભારવાડા વિસ્તારમાં સર્કલ નજીક આવેલ કબ્રસ્તાનની સામેનાં મારુતીનગરમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પરમારના ઘરે ગઈ કાલે સવારે 9-30 વાગ્યે ત્રણ બાવા 16 દિવસના બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતા હડકંપ મચી ગયો હતો. પોલીસે થોડીવારમાં જ બાવાઓને પકડી લીધા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી.
Published at : 10 Aug 2018 11:41 AM (IST)
Tags :
Bhavnagar PoliceView More




















