શોધખોળ કરો
CM રૂપાણીએ ગુજરાતના ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
1/4

ગાંધીનગર: ગુજરાત સરકારે ખેડૂતો માટે ખૂબ જ મહત્વની યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોની આવક બમણી કરવાના ભાગ રૂપે ‘સૂર્યશક્તિ કિસાન યોજનાની’ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલર પેનલ આપવામાં આવશે અને ખેડૂત પોતે વીજ ઉત્પાદક બનશે. આ યોજનામાં જોડાય તેને તત્કાલિક વીજ જોડાણ આપવામાં આવશે. આ યોજનાના લાભ લેનારે કુલ ખર્ચના 5 ટકા રકમની ભરપાઈ કરવાની રહેશે.
2/4

સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, કૃષિ સિંચાઈ માટેના ટ્યુબવેલ સોલાર આધારિત બનાવાશે. યોજનાથી ખેડૂતો ઉપભોક્તાની સાથે ઉત્પાદક પણ બનશે, જેના માટે ખેડૂતોની સમિતિ પણ બનાવાની રહેશે. ખેડૂતો પાસેથી વધારાની વિજળી સાત રૂપિયાના ભાવે સરકાર ખરીદશે.
Published at : 23 Jun 2018 05:13 PM (IST)
Tags :
Cm Vijay RupaniView More





















