શોધખોળ કરો
વડોદરામાં ઇદના દિવસે કોમી હિંસા, કરણી સેનાની રેલી પર તોફાની ટોળાએ કર્યો પથ્થરમારો
1/5

બીજી બાજુ તોફાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અન્ય વિસ્તારોમાં તોફાનો પ્રશરે તે પહેલાં શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ન્યાય મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. અને બેકાબુ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે દૂધવાળા મહોલ્લા અને લહેરીપુરા દરવાજા-એમજી રોડ પર 10 જેટલા ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. દૂધવાળા મહોલ્લા પાસે બનેલી ઘટનાના પડઘા અન્ય લઘુમતી વિસ્તારોમાં પડે તે પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા તમામ સંવેદનશિલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવી દેવામાં આવ્યું હતું. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
2/5

દરમિયાન દૂધવાળા મહોલ્લા પાસે રેલી ઉપર પથ્થરમારો થતાં કોમી હિંસા ફાટી નીકળી હોવાનું કહેવાય છે. રેલી ઉપર પથ્થરમારો થતાંજ ટોળા સામસામે આવી ગયો હતા. તોફાની ટોળાએ રોડ ઉપર પડેલી 4 થી 5 જેટલી ગાડીઓની તોડફોડ કરી હતી. આજે રમઝાન ઇદ હોવાથી અને સાંજનો સમય હોવાથી શહેરીજનોનો ફરવા નીકળ્યા હોઇ, ન્યાય મંદિર વિસ્તારમાં ભારે ભીડ હતી. દૂધવાળા મહોલ્લા અને એમ.જી. રોડ ઉપર પથ્થરમારો શરૂ થતાંજ લોકોએ જીવ બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. જોતજોતામાં ન્યાય મંદિર વિસ્તાર અને એમ.જી. રોડની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી.
Published at : 17 Jun 2018 10:28 AM (IST)
View More





















