શોધખોળ કરો
સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાનું પાણી ના મળે તો કોંગ્રેસના ક્યા ચાર ધારાસભ્યો લેશે જળસમાધિ?
1/4
ત્યારે લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલ પોતાના મત વિસ્તાર સહિત જિલ્લાના ખેડૂતોને નર્મદાના પાણી આપવા સાથે પાક વીમાની રકમ આપવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં જો રવિવાર સુધી ખેડૂતોને પાણી નહીં મળે તો કોંગ્રેસના ચારેય ધારાસભ્ય જેમાં સોમાભાઈ પટેલ, નૌશાદભાઈ સોલંકી, ઋત્વિક મકવાણા, પરસોતમ સાબરીયા સોમવારે જળસમાધી લેવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો ફેલાયો હતો.
2/4

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો છે અને પાકને બચાવવા માટે પાણીની જરૂર છે. તેવા સમયે ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહે તે ખૂબ જરૂરી છે. નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ છે. પરંતુ ખેડૂતોને પાણી લેવા પર પ્રતિબંધ મૂકીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
Published at : 06 Oct 2018 10:57 AM (IST)
Tags :
Congress MLAView More





















