શોધખોળ કરો
દલિતો પણ જાટવાળી કરવાના મૂડમાં, 1 ઓક્ટોબરથી રેલ રોકો, જાણો ક્યાંથી કરશે શરૂઆત
1/5

ઉલ્લેખનીય છે કે, ઉના કાંડ બાદ ઉનાલ દલિત અત્યાચાર સમિતિએ સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મુકી છે. આ પહેલા રેલ રોકો આંદોલન અંગે ઉના દલિત અત્યાર સમિતિએ જણાવ્યું હતું કે, અમારી તમામ માંગણીઓ ન્યાયી અને વ્યાજબી અને બંધારણીય છે તો મહેસુલ કાયદાની જોગવાઇ હેઠળ ગુજરાતની સરકાર ભૂમિવીહીન દલિતોને એક ઇંચ જમીન ફાળવવા તૈયાર નથી તથા ફાળવેલી જમીનનો માંગણી કરી રહ્યા છે તેને સોંપવા તૈયાર નથી. દલિત ઉપર ઉના અને અમરેલીમાં થયેલા ખોટા કેસો પરત લેવા તૈયાર નથી. 50 હજાર દલિતોના બેકલોગ ભરવા તૈયાર નથી એ સંજોગોમાં ભીમ રથને આગળ વધારવા રેલ રોકવી જ પડશે.
2/5

ભાજપ સરકારની મુસીબતમાં વધારો થાય તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ધરી રચાઈ છે અને બન્નેએ સાથે મળીને રાજ્યની ઓબીસી, દલિત અને આદિવાસી જનતાને ન્યાય મળે તે માટે આંદોલનને સાથે મળીને ચલાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના વેજલપુર ખાતેની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની એક સભામાં અલ્પેશ ઠાકોરે હાજરી આપીને જાહેરાત કરી હતી. જ્યારે મેવાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની 17મી સપ્ટેમ્બરની સભામાં પણ ખુરશીઓ ઊડશે તેવું સપનું આવ્યું છે.
Published at : 15 Sep 2016 09:56 AM (IST)
View More





















