શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોંગ્રેસ ક્યારે કરશે જસદણ વિધાનસભાના ઉમેદવારની જાહેરાત, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22155058/Gohel-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. અહીં કોળી સમાજનું પ્રભુત્વ છે અને 80 હજાર કોળી મતદારો છે જ્યારે 50 હજાર પાટીદાર મતદારો છે. જસદણની બેઠક રાજકોટથી નજીક છે. રાજકોટ બેઠક સીએમ વિજય રૂપાણીએ જીતેલી છે એટલે કે જસદણની બેઠક જીતવી એ વિજય રૂપાણી તેમજ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22155058/Gohel-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. અહીં કોળી સમાજનું પ્રભુત્વ છે અને 80 હજાર કોળી મતદારો છે જ્યારે 50 હજાર પાટીદાર મતદારો છે. જસદણની બેઠક રાજકોટથી નજીક છે. રાજકોટ બેઠક સીએમ વિજય રૂપાણીએ જીતેલી છે એટલે કે જસદણની બેઠક જીતવી એ વિજય રૂપાણી તેમજ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
2/5
![રાજકોટની આ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20 ડિસેમ્બરે મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ પેટાચૂંટણી માટે 26 નવેમ્બરે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પડાશે. જસદણમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લ તારીખ 3 ડિસેમ્બર છે જ્યારે 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22155054/Gohel-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટની આ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20 ડિસેમ્બરે મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ પેટાચૂંટણી માટે 26 નવેમ્બરે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પડાશે. જસદણમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લ તારીખ 3 ડિસેમ્બર છે જ્યારે 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર છે.
3/5
![કુંવરજી બાવળીયાના ગયા પછી આ બેઠક પર કોંગ્રેસ માટે મજબૂત ઉમેદવાર તરીકે ભોળાભાઇ ગોહિલને જોવામાં આવે છે. ભોળાભાઇ ગોહિલે પણ તાજેતરમાં જ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે, જસદણ બેઠક પર કોળી સમાજના મતદારો વધુ છે અને કુંવરજી અને ભોળાભાઇ બન્ને કોળી સમાજમાંથી આવે છે. જેથી અહીં જ્ઞાતિનુ રાજકારણ મહત્વનુ સાબિત થઇ શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22155049/Gohel-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુંવરજી બાવળીયાના ગયા પછી આ બેઠક પર કોંગ્રેસ માટે મજબૂત ઉમેદવાર તરીકે ભોળાભાઇ ગોહિલને જોવામાં આવે છે. ભોળાભાઇ ગોહિલે પણ તાજેતરમાં જ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે, જસદણ બેઠક પર કોળી સમાજના મતદારો વધુ છે અને કુંવરજી અને ભોળાભાઇ બન્ને કોળી સમાજમાંથી આવે છે. જેથી અહીં જ્ઞાતિનુ રાજકારણ મહત્વનુ સાબિત થઇ શકે છે.
4/5
![પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા જસદણ બેઠકના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળીયા ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસ પણ તેમની સામે મજબૂત ઉમેદવારને શોધી રહી છે, અને બેઠક ફરીથી કોંગ્રેસના ખાતામાં લાવવાનુ વિચારી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22155039/BAvaliya-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા જસદણ બેઠકના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળીયા ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસ પણ તેમની સામે મજબૂત ઉમેદવારને શોધી રહી છે, અને બેઠક ફરીથી કોંગ્રેસના ખાતામાં લાવવાનુ વિચારી રહી છે.
5/5
![અમદાવાદઃ ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે તારીખો જાહેર થઇ ગઇ છે. રાજ્યમાં બે મોટા રાજકીય પક્ષો બીજેપી અને કોંગ્રેસ આ બેઠકને કબ્જે કરવા માટે પ્લાન બનાવી લીધા છે. બીજેપીએ આ બેઠક પર પહેલાથી જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22155034/BAvaliya-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે તારીખો જાહેર થઇ ગઇ છે. રાજ્યમાં બે મોટા રાજકીય પક્ષો બીજેપી અને કોંગ્રેસ આ બેઠકને કબ્જે કરવા માટે પ્લાન બનાવી લીધા છે. બીજેપીએ આ બેઠક પર પહેલાથી જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે.
Published at : 22 Nov 2018 03:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)