શોધખોળ કરો
સ્વામિનારાયણ સાધુઓના લેપટોપ-મોબાઇલ જપ્ત કરવા કેમ અપાયો આદેશ? જાણો
1/6

ભુજઃ ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીના ત્રણ યુવતીઓ સાથેના પ્રેમસંબંધના વિવાદ પછી મંદિરના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ ભુજ સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતો અને ટ્રસ્ટીમંડળને ચેતવણી આપતો પત્ર લખ્યો છે. કેન્યા, લંડન અને નૈરોબીના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ આ પત્ર લખ્યો છે. જેમાં કોઈ પણ સાધુએ મોબાઈલ, લેપટોપ અથવા આઈપેડ ન રાખવા તાકીદ કરાઈ છે.
2/6

એટલું જ નહીં, જો કોઇ પાસે અત્યારે મોબાઈલ, લેપટોપ અથવા આઈપેડ હોય તો જમા કરાવી દેવા તાકીદ કરી છે. આ સાથે સાધુઓને મોબાઇલ અથવા અન્ય ઉપકરણના ઉપયોગને લઈને કેટલીક ગાઇડલાઇન પણ આપવામાં આવી છે. સંતો બહાર જાય ત્યારે તેમના ડ્રાઈવર કે હરિભક્તનો મોબાઇલ ઉપયોગમાં લેવાની છૂટ આપી છે. જોકે, આ સમયે તેમને પોતાની પાસે મોબાઇલ ન રાખવા તાકીદ કરાઈ છે.
Published at : 12 Jul 2018 11:11 AM (IST)
View More




















