શોધખોળ કરો
ભરૂચ: રાજપૂત સમાજના યુવાનોએ ભાજપના સાસંદ પરેશ રાવલને બતાવ્યો પરચો, પછી શું થયું, જાણો વિગતે
1/6

ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટમાં અમદાવાદના સાંસદ અને અભિનેતા પરેશ રાવલ ભાજપના કાર્યાલય ઉદઘાટન સમયે તેમણે રાજા રજવાડાઓની સરખામણી વાંદરા સાથે કરતાં સમગ્ર રાજપૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જેનો પરેશ રાવલને ભરૂચ જિલ્લાના રાજપુત સમાજે દરબારી મિજાજનો પરચો આપી દીધો હતો.
2/6

પરેશ રાવલની ભરૂચમાં યોજાયેલી સભામાં રાજપુત યુવાનો દ્વારા વિરોધ થાય તેવી શક્યતાઓને સંભાવનાને જોઇને તેમણે સંબોધીને જણાવ્યું હતું કે, એક સ્પિચમાં મેં રાજપુત સમાજની લાગણી દુભાય તેવો શબ્દ ઉચ્ચાર્યો હતો. જોકે એ શબ્દ મેં તેમના માટે નહતો કર્યો, કારણ કે હું મુરખ નથી કે આવી વીર કોમ માટે આવો શબ્દ બોલું જોકે એ શબ્દ હૈદરાબાદના નિઝામ માટે તે શબ્દ બોલ્યો હતો. પરંતુ તેમની ભાવનાને ઠેસ પહોંચતાં તેમણે તેના માટે સ્ટેજ પરથી જાહેર માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી.
Published at : 27 Nov 2017 08:53 AM (IST)
View More























