શોધખોળ કરો
વલસાડ પાસે સ્કોર્પિયોને લકઝરી બસે ટક્કર મારતાં સામેની ટ્રકમાં ઘૂસી ગઈ, પાંચનાં મોત. મૃતકોમાં નિવૃત્ત પોલીસ કર્મચારી, જાણો વિગત
1/3

વલસાડઃ વલસાડનાં ડુંગરી નેશનલ હાઈવે નંબર-48 સોનવાડા પટેલ ફળીયા કોર્સીગ પાસે સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નિપજતાં હતા. ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે.
2/3

અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચારના મોત થયાં હતા તેમાંથી ત્રણની ઓળખ થઈ હોવાની માહિતી મળી છે. જેમાં સુરતના અડાજણમાં રાંદેર રોડ પર રહેતો ચિરાગભાઈ રાજેશભાઈ સારંગ, 39 વર્ષિય કેતનભાઈ અવિનાશભાઈ પટેલ અને 62 વર્ષિય વસાવા મેલાભાઈ ચુનિલાલભાઈની ઓળખ થઈ છે. આ મૃતકો પૈકી મેલાભાઈ વસાવા વડોદરાના નિવૃત્ત પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે.
Published at : 23 Aug 2018 09:31 AM (IST)
View More





















