![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો
Independence Day: દેશની સરકારે લોકોના હિત અને સુવિધા માટે કામ કરવાનું હોય છે. સરકાર સમયાંતરે આવી યોજનાઓ લાવતી રહી છે, જેનો લાભ દેશના કરોડો લોકોને મળ્યો છે.
![Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો Independence Day 2022: Know about top 5 government scheme from Indira Gandhi to Modi Govt Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/42dcffbb08d9ad2b1fa6a117e0fafaae166044755411776_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Government Schemes: જો આપણે બંધારણના નિર્દેશક સિદ્ધાંતો વાંચીએ, તો આપણને જણાય છે કે ભારતને 'લોક કલ્યાણકારી દેશ' તરીકે વર્ણવવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે દેશની સરકારે લોકોના હિત અને સુવિધા માટે કામ કરવાનું હોય છે. સરકાર સમયાંતરે આવી યોજનાઓ લાવતી રહી છે, જેનો લાભ દેશના કરોડો લોકોને મળ્યો છે. આ લેખમાં, અમે તમને આવી પાંચ યોજનાઓ વિશે જણાવીશું-
સંકલિત બાળ વિકાસ સેવાઓ (1975)
ઈન્દિરા ગાંધીના સમયમાં ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન દ્વારા આ યોજના લાવવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રોમાં નવજાત બાળકોની નોંધણી અને રસીકરણ કરીને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેમની માતાઓમાં કુપોષણ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવાનો છે. આ યોજના મોટા પાયે લાગુ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (2000)
દેશના ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટીની સમસ્યાને દૂર કરવા માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન આ યોજના રજૂ કરવામાં આવી હતી. આના દ્વારા તમામ ઋતુઓમાં સારી રોડ કનેક્ટિવિટી મળી હતી. આ યોજનાથી કરોડો લોકોને ફાયદો થયો.
નરેગા/મનરેગા (2005 અને 2009)
2005માં દરેક હાથે રોજગારીના વિચાર સાથે NREGAની શરૂઆત કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર 2009ના રોજ, તેનું નામ બદલીને 'મહાત્મા ગાંધી'ના નામ પર મનરેગા રાખવામાં આવ્યું. આ એક ખૂબ જ ઐતિહાસિક યોજના છે, જે ગ્રામીણ ભારતમાં ગરીબીનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેના દ્વારા કરોડો લોકોને રોજગારી આપવામાં આવી. સરકાર દ્વારા આ યોજના પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. 2022 માં ભારત સરકારે મનરેગા હેઠળ 73 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી.
જન ધન યોજના (2014)
15 ઓગસ્ટ 2014ના રોજ આર્થિક સમાવેશના વિચાર સાથે જન ધન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના છે. આ દ્વારા લોકોના ખાતા ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવ્યા હતા. જેનો ઘણો ફાયદો થયો. મનરેગાની રકમ સહિત લોકોને સબસિડી અને અન્ય તમામ પ્રકારની સરકારી ચૂકવણી તેમના ખાતામાં થવા લાગી. આનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો.
આયુષ્માન ભારત યોજના (2018)
આ યોજના દ્વારા ગરીબ અને નબળા પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ અંતર્ગત 10 કરોડ પરિવારો (લગભગ 50 કરોડ લાભાર્થીઓ) લાભ મેળવી રહ્યા છે. આ યોજનાની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)