શોધખોળ કરો
અખિલેશ યાદવને પ્રયાગરાજ જતાં અટકાવતા યૂપીમાં સપા કાર્યકર્તાઓનું પ્રદર્શન, પોલીસનો લાઠીચાર્જ
1/3

યોગી આદિત્યનાથે કહ્યું, અખિલેશ યાદવ પ્રયાગરાજ આવવાથી હિંસાની શક્યતા હતી. પ્રયાગરાજમાં હાલ કુંભના કારણે ઘણી ભીડ છે અને ત્યાં કાયદો અને વ્યવસ્થા બગડવાનો ખતરો છે. યૂપી સરકારનો દાવો છે કે અખિલેશ યાદવને પ્રયાગરાજ ન જવા માટે જણાવવામાં આવ્યું હતું. અલાહાબાદ વિશ્વવિદ્યાલયના રજીસ્ટ્રારે કાલે સપા પ્રમુખ અખિલેશ યાદવના અંગત સચિવને પત્ર લખની જાણ કરી હતી કે વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં રાજનેતાઓને આવવાની મંજૂરી નથી.
2/3

યોગીએ કહ્યું, સપા અરાજક્તા ફેલાવવા માટે જાણીતી છે. અખિલેશ ત્યાં ગયા હોત તો યૂનિવર્સિટીમાં ધમાલ થાત, વિદ્યાર્થીઓમાં હિંસાની શક્યતાના કારણે તેમને રોકવામાં આવ્યા છે. અમે સમાજવાદી પાર્ટીને અરાજક્તા ફેલાવવાની મંજૂરી ન આપી શકીએ.
Published at : 12 Feb 2019 07:26 PM (IST)
View More





















