શોધખોળ કરો
ભાજપના સાંસદનો બફાટઃ રામ રહીમ મુદ્દે કહ્યું- એક આરોપ સાચો કે કરોડો ભક્ત?
1/4

સાક્ષી મહારાજ અનુસાર રામ રહીમ પર યૌન શોષણનો આરોપ ભારતીય સંસ્કૃતિની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સાક્ષી મહારાજે કર્નલ પુરોહિત, સાઘ્વી પ્રગ્ના ઠાકુરનું પ્રમાણ આપતા કહ્યું કે, યોજનાબદ્ધ રીતે સાંધુ-સંન્યાસી જ નહિ પણ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો ષડયંત્ર થઈ રહ્યું છે. ભાજપ સાંસદે કહ્યું કે, એક વ્યક્તિ રામ રહીમ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ કરે છે પરંતુ રામ રહિમ માટે કરોડો લોકો પાતાના પ્રાણ આપવા તૈયાર છે. કોર્ટને આ મામલે ગંભીરતા લેવાની સલાહ આપતા સાક્ષી મહારાજે કહ્યું કે, જો મોટી દુર્ઘટના બને તો માત્ર ડેરા સચ્ચાના ભક્તો જ નહીં પણ તેના માટે ન્યાયાલય પણ જવાબદાર રહેશે.
2/4

નવી દિલ્લી: રામ રહીમને બળાત્કાર કેસમાં કોર્ટે દોષી જાહેર કરતા ભાજપના સાંસદ સાક્ષી મહરાજે ગુરમીત રામ રહીમનો બચાવ કરતા કહ્યું કે, સાંધુ-સંન્યાસીઓ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. રામ રહીમને સજા આપવામાં આવી તે કોર્ટના નિર્ણયને સાક્ષી મહારાજે સન્માન કર્યું છે. પરંતુ તેની સાથે કહ્યું કે, કોર્ટ માત્ર ફરિયાદ કરનારની જ વાત સાંભળે છે, પેલા લાખો ભક્તોની નથી સાભળતી, જે રામ રહિમને ભગવાન માને છે. જો કે, સાક્ષી મહારાજના આ નિવેદથી ભાજપ હાઇ કમાન્ડ નારાજ છે અને તેના પર આ મામલે સ્પષ્ટતાની માંગ કરી શકે છે.
Published at : 26 Aug 2017 07:59 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















