શોધખોળ કરો
અયોધ્યામાં યોગી આદિત્યનાથ ઉજવશે ઈતિહાસની સૌથી મોટી દિવાળી, સરયૂના કાંઠે 1.75 લાખ દિવા ઝગમગશે
1/3

અયોધ્યામાં સરયૂનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્ત્વ છે. યોગી આદિત્યનાથ અહીં સરયૂની આરતી ઉતારશે. તેના માટે રામની પૌડીની પાસે ખાસ તૈયારી કરવામાં આવી છે. ભગવાન રામના અધ્યોધ્યા આવવા પર અહીં બે લાખ જેટલા દિવા પ્રગાટવવામાં આવશે. સરકારે 60 કુંભારોને દિવાની જવાબદારી સોંપી છે. આ કુંભાર રાત-દિવસ એક કરીને દિવા બનાવવામાં લાગ્યા છે.
2/3

આ અવસર પર સરયૂ ઘાટ પર અંદાજે 1.75 લાખ દિવડા પ્રગાટવવામાં આવશે. ઉપરાંત આજે અહીં લેઝર શો ઉપરાં રામલીલાનું આયોજન પણ થશે જેના માટે થાઈલેન્ડ અને શ્રીલંકાથી કલાકાર અહીં આવી પહોંચ્યા છે. આ અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા માટે અનેક યોજનાઓની પણ શરૂઆત કરશે. કહેવાય છે કે, ત્રેતા યુગમાં 14 વર્ષના વનવાસ બાદ લંકા વિજય કરીને અયોધ્યા પરત ફરેલ ભગવામ રામનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામની નગરીને દિવાઓથી સજાવવામાં આવી હતી.
Published at : 18 Oct 2017 09:40 AM (IST)
View More























