શોધખોળ કરો
મરાઠા આંદોલન ફરી બન્યું હિંસક, પૂણેમાં 16 બસોમાં તોડફોડ કરી આંગ ચાંપી,
1/7

પૂણે: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન આજે એકવાર ફરી હિંસક બન્યું હતું. આંદોલનકારીઓએ પૂણે-નાસિક હાઈવે પર ચાકન નજીક 16 બસોને આગ ચાંપી દીધી હતી અને 25 જેટલી ગાડીઓની તોડફોડ કરી છે. હિંસામાં પાંચ પોલીસકર્મીઓ પણ ઘાયલ થઈ ગયા છે. જ્યારે ત્રણ લોકો પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા છે. ઔરંગાબાદમાં એક શખ્સે આરક્ષણની માંગ કરતા ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
2/7

ચાકન સાથે ઉસ્માનાબાદ, સોલાપુર, કોલ્હાપુર, નંદુરબાર અને ઔરંગાબાદમાં હિંસા થઈ હતી અને રસ્તાઓ જામ કરવાની ઘટનાઓ બની. ઔરંગાબાદમાં પ્રમોદ હોરે પાટિલે ફેસબુક પર એક પોસ્ટ કરીને ટ્રેન નીચે કૂદની આત્મહત્યા કરી લીધી હતી. તેણે રવિવારે આત્મહત્યા કરી હતી પરંતુ મૃતદેહ સોમવારે મળી આવ્યો હતો. જેના કારણે કેટલોક વિસ્તાર બંધ રહ્યો હતો.
Published at : 30 Jul 2018 06:28 PM (IST)
View More























