શોધખોળ કરો
સચિન પાયલોટે સાડા ચાર વર્ષ પછી સાફો પહેર્યો, જાણો સચિને સાફો નહીં પહેરવા શું કરી હતી પ્રતિજ્ઞા?
1/4

લોકસભાની 2014ની ચૂંટણીમાં સચિન પાયલોટ દૌસા બેઠક પરથી હારી ગયા હતા. એ વખતે સચિન પાયલોટે સોગંદ ખાધા હતા કે જ્યાં લગી ચૂંટણીમાં ફરી નહીં જીતું અને રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા નહીં અપાવું ત્યાં લગી સાફો નહીં પહેરું. કોંગ્રેસ જીતતાં સચિન પાયલોટની આ કસમ પૂરી થઈ અને તેમણે સાફો પહેરીને શપથવિધી કરી.
2/4

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને ભારે રસાકસી જામી હતી. ગહેલોત અને સચિન પાયલટ બંને વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ભારે ખેંચતાણ સર્જાઈ હતી. આ મામલે નિર્ણય કરવા દિવસો સુધી બેઠકોનો ધમધામટ રહ્યો હતો.
Published at : 18 Dec 2018 09:34 AM (IST)
View More





















