દેશના નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુલાઇએ બપોરે 12:15 વાગ્યે શપથ લેશે તે સાથે કોંવિદ દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિ ભવન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જ્યોતિષોના વિચાર વિમર્શ બાદ આ સમય નક્કી કરવામાં આવ્યો છે. કોવિંદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે. જો કે, રામનાથ કોવિંદેને ચૂંટણીમાં 702044 મત મળ્યા હતા અને તેમના હરિફ મીરા કુમારને 367314 મત મળ્યા હતા.
2/2
નવી દિલ્લી: મતગણતરી બાદ રાષ્ટ્રપતિ તરિકે રામનાંથ કોંવિદ ચૂંટાતા તેની સાથે ભારત સરકારે સંજય કોઠારીને રાષ્ટ્રપતિના નવા સચિવ બનાવ્યા છે. સામાચાર એજન્સી પ્રમાણે ભરતલાલને સંયુક્ત સચિવ અને અશોક મલિકને રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ બનાવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારને જંગી બહુમતથી હરાવ્યા છે.