શોધખોળ કરો
અયોધ્યામાં બોલ્યા ઉદ્ધવ ઠાકરે- હું શ્રેય લેવા નહીં પણ રામ મંદિરની તારીખ લેવા આવ્યો છું
1/5

લખનઉઃ અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સૌ પ્રથમ સાધુ સંતો સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાના પરિવાર સાથે લક્ષ્મણ કિલાની મુલાકાત લીધી હતી. દરમિયાન ઠાકરેએ કહ્યું કે, મને રામ મંદિર નિર્માણનો શ્રેય નથી જોઇતો, મને રામ મંદિરના નિર્માણની તારીખ જોઇએ છે. આપણે સૌ સાથે મળીને રામ મંદિરનું નિર્માણ કરીશું. તમામ લોકો સાથે આવશે તો રામ મંદિર જલદી બનશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અહીં રાજનીતિ કરવા નથી આવ્યો. કેન્દ્રની મજબૂત મોદી સરકાર રામ મંદિર પર કાયદો લાવે. હવે રામ મંદિર પર હિંદુ ચૂપ નહી રહે. રામ મંદિર બન્યા બાદ હું રામ ભક્તની જેમ દર્શન કરવા આવીશ. ઉદ્ધવે મોદી સરકારને પૂછ્યું કે હજુ કેટલા વર્ષ રાહ જોવી પડશે. હજારો શિવસૈનિક અયોધ્યા આવ્યા છે.
2/5

બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીએ રામ મંદિરના મુદ્દા પર કહ્યું કે, પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે બીજેપીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. જો બીજેપીની ઇચ્છા હોય તો પાંચ વર્ષ સુધી કેમ રાહ જોઇ રહી હતી. હાલમાં તે રાજકીય દાવપેચ સિવાય કાંઇ નથી. શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદ જે કરી રહી છે તે બીજેપીના ષડયંત્રનો ભાગ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, રાજ્યમાં આર્મીને સુરક્ષા સોંપી દેવી જોઇએ કારણ કે ભાજપ કાંઇ પણ કરી શકે છે.
Published at : 24 Nov 2018 08:27 AM (IST)
View More





















