શોધખોળ કરો

Diabetes: જો તમે ક્યારેય નથી બનવા માંગતા 'ડાયાબિટીસ'ના દર્દી, તો આજથી જ આ 6 વસ્તુઓ ખાવાનું કરો બંધ

ડાયાબિટીસ ખોટા ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ તેમના ખોરાકને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે કોઈપણ પ્રકારની બેદરકારી મૃત્યુનું જોખમ પેદા કરી શકે છે.

Diabetes: ખરાબ જીવનશૈલી અને ખાણી-પીણીની આદતોએ આજકાલ લોકો પર અનેક રોગો લાદી દીધા છે. શું કોલેસ્ટ્રોલ, શું બ્લડ પ્રેશર, શું હૃદયરોગ અને શું ડાયાબિટીસ, આ તમામ રોગોના સેંકડો દર્દીઓ તમને તમારી આસપાસ જોવા મળશે. આજકાલ જે રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે ડાયાબિટીસ છે.

ડાયાબિટીસના દર્દીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં લગભગ 422 મિલિયન લોકો હાઈ બ્લડ સુગરથી પીડિત છે. તેમાંથી દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુ ડાયાબિટીસને કારણે થાય છે. બીજી તરફ જો ભારતની વાત કરીએ તો 8 કરોડ લોકો હજુ પણ આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે.

ડાયાબિટીસ ખોટા ખાનપાન અને ખરાબ જીવનશૈલીને કારણે થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ તેમના ખોરાકને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.  કારણ કે કોઈપણ પ્રકારની બેદરકારી મૃત્યુનું જોખમ પેદા કરી શકે છે. ડાયાબિટીસથી બચવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારા આહારનું ધ્યાન રાખો અને જીવનશૈલીમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરો. જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય ડાયાબિટીસ ન થાય તો આજથી જ આ ખાદ્યપદાર્થો ખાવાનું બંધ કરી દો.

જો તમારે ડાયાબિટીસથી દૂર રહેવું હોય તો આ ખોરાક ક્યારેય ન ખાવો

  • સ્વીટ ડ્રિંક્સઃ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખાંડ ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેરથી ઓછી નથી. આ એકમાત્ર વસ્તુ છે જે ડાયાબિટીસના દર્દીઓએ સૌથી વધુ ટાળવી જોઈએ. જો તમે આ ખતરનાક રોગથી દૂર રહેવા માંગતા હોવ તો ભૂલથી પણ મીઠી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ અને સ્વીટ પીણાંને હાથ ન લગાવવો જોઈએ.
  • કૃત્રિમ સ્વીટનર સાથેની કોફી: કેટલીક કોફી એવી હોય છે કે જેમાં કૃત્રિમ સ્વીટનરની સાથે સ્વાદ ઉમેરવા માટે ઘણા રસાયણો ઉમેરવામાં આવે છે. આવી કોફીમાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ ખૂબ વધારે છે. આના કારણે ડાયાબિટીસની સાથે હૃદયરોગનો ખતરો પણ ઉભો થઈ શકે છે.
  • હોટ ડોગ: હોટ ડોગ ડાયાબીટીસનું જોખમ પણ પેદા કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે તેમાં ઘણી બધી સંતૃપ્ત ચરબી હોય છે અને તેની સાથે, સોડિયમ પણ ખૂબ વધારે હોય છે. આ બંને વસ્તુઓ ડાયાબિટીસ અને હ્રદય રોગનો ખતરો બનાવે છે.
  • ફ્રાય ફૂડ્સ: વ્યક્તિએ પેકેટમાં ઘણી બધી તળેલી ખાદ્ય વસ્તુઓ જેમ કે ભુજિયા, કુરકુરે, ચિપ્સ વગેરે ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેને વધારે ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે.
  • ફાસ્ટ ફૂડ: ફાસ્ટ ફૂડ જેનું આજના યુવાનો અને કેટલાક વૃદ્ધો પણ આડેધડ સેવન કરે છે. ફાસ્ટ ફૂડમાં માખણ અને પનીરનું પ્રમાણ વધુ હોવાથી તેને વધુ પ્રમાણમાં ખાવાથી ડાયાબિટીસની સાથે હૃદયરોગ પણ થઈ શકે છે.
  • શરબત: જો તમે ગરમીથી રાહત મેળવવા માટે ખૂબ જ શરબત પીતા હોવ તો તમારે આમ કરવાનું ઓછું કરવું જોઈએ. કારણ કે આનાથી ડાયાબિટીસનો ખતરો પણ વધી શકે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ
Gujarat Weather: રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ
Arvind Kejriwal Bail Hearing:  અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
Arvind Kejriwal Bail Hearing: અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
WhatsAppનો નવો અવતાર, iOS અને Android યુઝર્સને નવી ડિઝાઇન સાથે મળશે આ ફીચર્સ
WhatsAppનો નવો અવતાર, iOS અને Android યુઝર્સને નવી ડિઝાઇન સાથે મળશે આ ફીચર્સ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad: બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામનો જન્મોત્સવ પ્રસંગે ભવ્ય પરશુરામ યાત્રાનો શુભારંભRajkot: લોધિકા તાલુકાના વાગુદડ ગામની નદીમાંથી યુવાનોનું મૃતદેહ મળ્યોBike Stunt Viral Video: બાઈક પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, દ્વારકા જિલ્લાનો વીડિયો હોવાનું અનુમાનAkshaya Tritiya 2024: રથયાત્રા પહેલા અક્ષય તૃતીયા પર  ભગવાન જગન્નાથની ઐતિહાસિક ચંદન  યાત્રા....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ
Gujarat Weather: રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ
Arvind Kejriwal Bail Hearing:  અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
Arvind Kejriwal Bail Hearing: અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
WhatsAppનો નવો અવતાર, iOS અને Android યુઝર્સને નવી ડિઝાઇન સાથે મળશે આ ફીચર્સ
WhatsAppનો નવો અવતાર, iOS અને Android યુઝર્સને નવી ડિઝાઇન સાથે મળશે આ ફીચર્સ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
IPL Impact Player Rule: IPL વચ્ચે BCCI સચિવ જય શાહનું મોટું નિવેદન, હવે ઇમ્પેક્ટ પ્લેયરની થશે છૂટ્ટી?
IPL Impact Player Rule: IPL વચ્ચે BCCI સચિવ જય શાહનું મોટું નિવેદન, હવે ઇમ્પેક્ટ પ્લેયરની થશે છૂટ્ટી?
Bengaluru: બેંગલુરુમાં આખી રાત વરસ્યો વરસાદ, એરપોર્ટ ટર્મિનલ 2ની છતમાંથી ટપકવા લાગ્યું પાણી
Bengaluru: બેંગલુરુમાં આખી રાત વરસ્યો વરસાદ, એરપોર્ટ ટર્મિનલ 2ની છતમાંથી ટપકવા લાગ્યું પાણી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
Embed widget