શોધખોળ કરો

Myth Vs Facts: શું રાત્રે બ્રા પહેરીને સુવાથી કે પરફ્યુમ લગાવવાથી થાય છે બ્રેસ્ટ કેન્સર? જાણો તેની પાછળનું સત્ય

Myth Vs Facts: સ્તન કેન્સર વિશે ઓછી માહિતીના કારણે મહિલાઓ વધુને વધુ તેનો શિકાર બની રહી છે. મોટાભાગની મહિલાઓ ઇન્ટરનેટ પર આ રોગ સાથે જોડાયેલી કોઈપણ વાત પર આંખ આડા કાન કરે છે, જે ખતરનાક બની શકે છે.

Breast Cancer Myths and Facts:  એક્ટ્રેસ હિના ખાનના બ્રેસ્ટ કેન્સરના સમાચાર આવ્યા બાદથી આ બીમારી વિશે ચર્ચા વધી છે. આ કેન્સર માત્ર મહિલાઓને જ નહીં પરંતુ પુરુષોને પણ થઈ શકે છે. જો કે, આ સમસ્યા મોટાભાગે સ્ત્રીઓમાં જ જોવા મળે છે. તે સ્તનમાં કેન્સરના કોષોની વૃદ્ધિ સાથે શરૂ થાય છે, જે ગાંઠ બનાવે છે અને સ્તન પર ગઠ્ઠો બને છે. સ્તન કેન્સર વિશે ઓછી માહિતીના કારણે મહિલાઓ વધુને વધુ તેનો શિકાર બની રહી છે.

મોટાભાગની મહિલાઓ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આ રોગથી સંબંધિત કોઈપણ વસ્તુને આંધળી રીતે સાચી માને છે, જે ખતરનાક બની શકે છે 'એબીપી લાઈવ' આવી બાબતો પર વિશેષ રજુઆત લાવી છે- મિથ Vs ફેક્ટ્સ. 'મિથ વિ ફેક્ટ્સ સિરીઝ' એ તમને અંધવિશ્વાસના દલદલમાંથી બહાર કાઢવાનો અને તમારૉ સુધી સત્ય વાત લાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ રોગ સાથે જોડાયેલી 6 માન્યતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ.

માન્યતા 1. બ્રા પહેરવાથી સ્તન કેન્સર થાય છે

હકીકત- સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે કે બ્રા પહેરવાથી સ્તન કેન્સરનું જોખમ વધી શકે છે. આ અંગે તબીબોનું કહેવું છે કે કોઈ પુરાવા મળ્યા નથી, તેથી બ્રાથી બ્રેસ્ટ કેન્સર થાય છે તે કહેવું સંપૂર્ણપણે ખોટું છે.

માન્યતા 2. જો કૌટુંબિક ઇતિહાસ ન હોય તો સ્તન કેન્સર થતું નથી

હકીકત- એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર નથી તો તેનું કોઈ જોખમ નથી, પરંતુ આ પણ સાચું નથી, કારણ કે બ્રેસ્ટ કેન્સરના મોટાભાગના કેસોમાં ફેમિલી હિસ્ટ્રી ઉપલબ્ધ હોતી નથી.

માન્યતા 3. સ્વસ્થ આહાર, વ્યાયામ અને વજન નિયંત્રણ કરવાથી સ્તન કેન્સરનું જોખમ નથી રહેતું

હકીકત- નિયમિત કસરત, વજન નિયંત્રણ અને આહારની જાળવણી સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે સ્તન કેન્સર થઈ શકતું નથી, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ.

માન્યતા 4. સ્તન કેન્સરના કિસ્સામાં ગાંઠ બને જ છે

હકીકત- એવું માનવામાં આવે છે કે સ્તન કેન્સરના કિસ્સામાં, શરૂઆતમાં સ્તનો પર ગાંઠ બને છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્તન કેન્સરના પ્રારંભિક તબક્કામાં ગાંઠ નથી બનતી. તેથી, જો આ રોગના અન્ય લક્ષણો દેખાય, તો તરત જ એક પરીક્ષણ કરાવવું જોઈએ.

માન્યતા 5. સ્તન કેન્સર યુવાન છોકરીઓને થતું નથી, તે માત્ર મોટી ઉંમરની સ્ત્રીઓને જ થાય છે.

હકીકત- સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે સ્તન કેન્સર એક એવી સમસ્યા છે જે કોઈપણ ઉંમરે થઈ શકે છે, તેથી આ હકીકતમાં કોઈ સત્ય નથી કે તે ફક્ત વૃદ્ધ મહિલાઓને જ થઈ શકે છે.

માન્યતા 6. ડીઓ-પરફ્યુમ લગાવવાથી સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે

હકીકત- ઘણા લોકો માને છે કે ડિઓડોરન્ટ્સ અને એન્ટિપરસ્પિરન્ટ્સ સ્તન કેન્સરનું જોખમ પેદા કરી શકે છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી અને ન તો તેની પુષ્ટિ થઈ છે.

માન્યતા 7. શું સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ થઈ શકે છે?

મોટાભાગના લોકો માને છે કે માત્ર મહિલાઓને જ સ્તન કેન્સર થઈ શકે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. સ્તન કેન્સર સ્ત્રીઓને વધુ અસર કરી શકે છે, પરંતુ તે પુરુષોને પણ થઈ શકે છે. જો કે આ કેન્સર પુરૂષોમાં જવલ્લે જ જોવા મળે છે, પરંતુ જો પુરૂષો પોતાનામાં આવા લક્ષણો જુએ તો તેને અવગણવા ન જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Embed widget