શોધખોળ કરો

Mango For Health : એક દિવસમાં આટલી અને આ રીતે ખાશો કેરી તો નહિ વધે વજન કે સુગર

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે સવારે કે સાંજના નાસ્તામાં કેરી ખાવી શ્રેષ્ઠ છે. જો તમે બ્લડ સુગર અને વજન વધતા અટકાવવા માંગતા હોવ તો તમારે સૂતા પહેલા કેરીનો રસ પીવાનું ટાળવું જોઈએ અને જમ્યા પછી તરત જ કેરી ખાવાનું ટાળવું જોઈએ

Mango For Health : કેરી પ્રેમીઓ માટે કેરીની સિઝન ખાસ હોય છે. તેઓ ઉનાળાની ઋતુની આતુરતાથી રાહ જુએ છે. કેરીનો સ્વાદ અદ્ભુત છે અને તે પણ એટલું જ આરોગ્યપ્રદ છે. કેરીમાં ઘણા જબરદસ્ત પોષક તત્વો જોવા મળે છે. તેના બાયોએક્ટિવ સંયોજનો સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે.

રોજ કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હૃદય, મગજ, આંખો અને પાચન સ્વસ્થ રહે છે પરંતુ એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે વજન અને સુગર લેવલ વધુ ન વધે તે માટે દિવસમાં કેટલી કેરી ખાવી જોઈએ. ચાલો જાણીએ જવાબ...

કેરી કેમ ફાયદાકારક છે

કેરીમાં ઘણા શક્તિશાળી પોષક તત્વો  છે. વિટામિન A, B-6, B-12, C, E, વિટામિન K, વિટામિન D ઉપરાંત તેમાં કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ખાંડ, પ્રોટીન, ઊર્જા, ફોલેટ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઈબર, નિયાસિન અને થાઈમીન હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું છે.

કેરી ખાવાના ફાયદા

  1. બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.
  2. સ્નાયુઓ મજબૂત થાય છે.
  3. શરીરમાં રહેલા એસિડને દૂર કરીને હાડકાની તંદુરસ્તી સુધારે છે.
  4. કિડની માટે ફાયદાકારક
  5. સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
  6. કોષોને ઉર્જાથી ભરીને ચયાપચયને સુધારે છે.
  7. ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરીને ચેતા કાર્ય અને સ્નાયુઓને સુધારે છે.
  8. કેરી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદગાર છે.

કેરી ખાવાની આડ અસરો

હેલ્થ એક્સપર્ટના મતે કેરીના હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સને કારણે તે બ્લડ શુગર વધારી શકે છે. આ જ કારણ છે કે જમ્યા પછી તરત જ કેરી ખાવાની મનાઈ છે.નિષ્ણાતોના મતે કેરી ખાવાથી વજન પણ વધી શકે છે. જો તમે આમરસ કે કેરીને ખોરાક કે દૂધ સાથે લો છો તો તમારું વજન વધી શકે છે. આનું કારણ કેરી અને દૂધ બંનેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે છે.

એક દિવસમાં કેટલી કેરી ખાવી જોઈએ?

કેટલાક લોકો કેરીના રસિયા હોય છે.  જેઓ દિવસમાં 5 થી 6 કેરી ખાય છે. આવું કરવું યોગ્ય નથી. ખાસ કરીને ડાયાબિટીસ અને સ્થૂળતાથી પીડિત લોકો માટે. તેઓએ કેરી ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો કે, કેટલાક આરોગ્ય નિષ્ણાતો ડાયાબિટીસના દર્દીઓને દિવસમાં માત્ર અડધી કેરી ખાવાની ભલામણ કરે છે, જ્યારે તંદુરસ્ત પુખ્ત વયના લોકો દિવસમાં એક કેરી ખાઈ શકે છે. તેમનું માનવું છે કે દરરોજ 2 કપ અથવા 350 ગ્રામ કેરી કરતાં ઓછી ખાવી વધુ સારી છે. 100 ગ્રામ કેરીમાં લગભગ 60 કેલરી હોય છે, જ્યારે એક કેરીમાં લગભગ 202 કેલરી હોય છે.

કેરી ક્યારે અને કેવી રીતે ખાવી

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે સવારે કે સાંજના નાસ્તામાં કેરી ખાવી શ્રેષ્ઠ છે. જો તમે બ્લડ સુગર અને વજન વધતા અટકાવવા માંગતા હોવ તો તમારે સૂતા પહેલા કેરીનો રસ પીવાનું ટાળવું જોઈએ અને જમ્યા પછી તરત જ કેરી ખાવાનું ટાળવું જોઈએ. કેરીની અસરોને સંતુલિત કરવા માટે, તમે તેને પ્રોટીન સાથે ખાઈ શકો છો. કેરીને બદામ, અખરોટ, શેકેલા ચણા અને મખાના સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget