શોધખોળ કરો

Heart Attack: શું હાર્ટ એટેક આવવા પર જોરજોરથી ઉઘરસ ખાવાથી બચી જાય છે જીવ? જાણો આ દાવાની સત્યતા

Heart Attack: સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પ્રકારના સમાચારો આવે છે, પરંતુ હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિના કિસ્સામાં આંધળો વિશ્વાસ કરવો તમારા માટે ખતરનાક બની શકે છે.

Heart Attack:  હાર્ટ એટેક ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. હાર્ટ એટેક(heart attack)ના કિસ્સામાં, ડૉક્ટરો દર્દીને પ્રાથમિક સારવાર આપવા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપે છે. જો જોવામાં આવે તો સીપીઆર (CPR) અને પ્રાથમિક સારવાર દ્વારા દર્દીને સ્થળ પર જ થોડી રાહત મળી શકે છે, પરંતુ તેને હોસ્પિટલ લઈ જવો જરૂરી બની જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે  (viral post on herat attack)જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેકની સ્થિતિમાં દર્દી જોરશોરથી ઉધરસ ખાઈને પોતાનો જીવ બચાવી શકે છે.

આ પ્રક્રિયાને કફ સીપીઆર (is cough cpr is authentic) નામ આપવામાં આવ્યું છે. પણ શું ખરેખર એવું છે? જો આ વાત સાચી હોય તો આ મામલે ડોક્ટર્સ શું કહે છે? ચાલો જાણીએ કે હાર્ટ એટેકને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાની સત્યતા શું છે.

શું જોરશોરથી ઉધરસ ખાવાથી તમારા જીવને હાર્ટ એટેકથી બચાવી શકાય છે?

બિલકુલ નહીં. આ ખોટો અને ભ્રામક દાવો છે. ડોકટરો કહે છે કે કફ(ઉધરસ) સીપીઆર જેવી કોઈ વસ્તુ નથી. હાર્ટ એટેક વખતે જોરશોરથી ઉધરસ ખાઈને દર્દીનો જીવ બચાવી શકાતો નથી. તેમજ ઝડપથી શ્વાસ લેવાથી કોઈ ફાયદો થઈ શકતો નથી. ડોક્ટરોનું કહેવું છે કે કફ સીપીઆર જેવી કોઈ મેડિકલ ટર્મ નથી જેના દ્વારા દર્દીનો જીવ બચાવી શકાય.

તમને જણાવી દઈએ કે, વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો છાતીમાં દુખાવો હોય અથવા જડબામાં દુખાવો હોય તો તે હાર્ટ એટેક હોઈ શકે છે. આ સમય દરમિયાન, જો કોઈ મદદ માટે હાજર ન હોય, તો વ્યક્તિએ જોરશોરથી ઉધરસ ખાવી જોઈએ અને ઊંડા શ્વાસ લેવા જોઈએ. આમ કરવાથી ફેફસાંને ઓક્સિજન મળશે અને જીવન બચાવી શકાય છે.

હાર્ટ એટેક આવે તો શું કરવું જોઈએ?
તમને જણાવી દઈએ કે આ પહેલા સોશિયલ મીડિયા પર બીજી એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે હાર્ટ એટેકની સ્થિતિમાં આદુ ખાવાથી જીવ બચી શકે છે. ડૉક્ટરો સલાહ આપે છે કે આવા દાવાઓ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. હાર્ટ એટેક એ ગંભીર સ્થિતિ છે. આ સમય દરમિયાન, જે સાંભળવામાં આવે છે તેના પર વિશ્વાસ કરતા અને તેનું પાલન કરતા પહેલા, દર્દીને પ્રશિક્ષિત વ્યક્તિ દ્વારા સીપીઆર આપવો જોઈએ અને જો શક્ય હોય તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

રોટલી કે ભાત શું ખાવાથી વજન વધારે વધે છે? વજન ઘટાડવા દરમિયાન શું ખાવું વધુ સારું રહેશે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
Embed widget