શોધખોળ કરો

ચોમાસામાં જરૂર ખાવ આ પાંચ વસ્તુઓ, ઇમ્યૂનિટી થશે મજબૂત

પાણી ભરાવાને કારણે બેક્ટેરિયાનું જોખમ પણ વધી ગયું છે. તેથી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે.

દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ વાતાવરણ ખુશનુમા બની ગયું છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ તેની સાથે ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. પાણી ભરાવાને કારણે બેક્ટેરિયાનું જોખમ પણ વધી ગયું છે. આવી ભેજવાળી ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ, એલર્જી, વાયરલ તાવ, શરદી, ખાંસી, ફૂડ પોઈઝનિંગ વગેરે જેવી બીમારીઓનું જોખમ રહેલું છે, તેથી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે.

જો તમે ચોમાસાની ઋતુમાં રોગોથી સુરક્ષિત રહેવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માંગો છો, તો તમારા આહારમાં સુધારો કરીને અને કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને બીમાર પડવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે

હળદર ખૂબ જ ફાયદાકારક છે

હળદર ચોમાસામાં સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. ડેઇલી રૂટીનમાં પુખ્ત વયથી લઈને બાળકો સુધી દરેક વ્યક્તિએ દરરોજ રાત્રે સૂતા પહેલા હળદર સાથે હૂંફાળું દૂધ પીવું જોઈએ. આનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થશે.

આદુનું સેવન કરો

જો કે આદુનું સેવન મોટાભાગે શિયાળામાં કરવામાં આવે છે, પરંતુ ચોમાસામાં પણ તે મર્યાદિત માત્રામાં ખાઈ શકાય છે. આદુમાં એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે અને તે ઔષધિની જેમ કામ કરે છે. આદુ ચોમાસામાં થતી ગળામાં ખરાશ, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓથી બચાવે છે.

તુલસી ખૂબ જ ફાયદાકારક છે

ચોમાસાના દિવસોમાં તુલસીના ચાર પાનને નવશેકા પાણી સાથે દરરોજ સવારે ખાલી પેટ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને ઘણી વાયરલ સમસ્યાઓથી તમારું રક્ષણ થશે. આ સિવાય મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે જેનાથી વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

અશ્વગંધાથી તમને અપાર લાભ મળશે

આયુર્વેદમાં અશ્વગંધા ખૂબ જ શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. તમે ચોમાસાના દિવસોમાં પણ અશ્વગંધાનું સેવન કરી શકો છો. તેમાં રહેલા ગુણ શરીરને અંદરથી મજબૂત બનાવવામાં અને ચેપ સામે લડવામાં સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

તજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે

મસાલામાં વપરાતા તજ ગુણોની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. તેનું સેવન ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. તજના પાવડરને દૂધમાં ઉમેરીને લઈ શકાય અથવા તેનો નાનો ટુકડો ચામાં ઉમેરી શકાય. ટાઇપ 2 ડાયાબિટીસમાં પણ તજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
Embed widget