શોધખોળ કરો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

સંશોધન બતાવે છે કે જેટલો વધારે સ્ક્રીન ટાઈમ હોય છે, તેટલું જ માનસિક સ્વાસ્થ્ય વધુ બગડે છે. આનાથી ચિંતા અને ડિપ્રેશન થઈ શકે છે. નકારાત્મક કન્ટેન્ટનો સંબંધ ખરાબ માનસિક સ્વાસ્થ્ય સાથે છે.

Online Content Side Effects: લાંબા સમય સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર સમય વિતાવવો માત્ર આંખો માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જોખમી છે. આની સીધી અસર મગજ પર પડે છે. નેચર હ્યુમન બિહેવિયરમાં પ્રકાશિત UCL સંશોધકોની ટીમના એક અભ્યાસમાં માનસિક સ્વાસ્થ્ય અને સ્માર્ટફોન, લેપટોપ, સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે.

આ અભ્યાસમાં જોવા મળ્યું કે ખરાબ માનસિક સ્વાસ્થ્ય ધરાવતા લોકો ઓનલાઈન નકારાત્મક કન્ટેન્ટ તરફ વધુ આકર્ષાયા. ચાલો જાણીએ અભ્યાસ શું કહે છે અને ઓનલાઈન કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે...

અભ્યાસ શું કહે છે

આ અભ્યાસમાં 1,000થી વધુ સહભાગીઓની ઓનલાઈન બ્રાઉઝિંગ આદતોની તપાસ કરવામાં આવી. તેમના સર્ચ કરેલા વેબ પેજના ભાવનાત્મક પાસાની ચકાસણી કરવામાં આવી. ત્યારબાદ તે બધાએ તેમના વર્તમાન માનસિક સ્વાસ્થ્ય અને સ્થિતિ વિશે ખુલ્લેઆમ વાત કરી. સંશોધકોએ જોયું કે જે લોકો ખરાબ માનસિક સ્વાસ્થ્યના લક્ષણો અનુભવી રહ્યા હતા, તેમણે વધુ વાર નકારાત્મક કન્ટેન્ટ બ્રાઉઝ કર્યું હતું.

આ કન્ટેન્ટ જોયા પછી તે લોકોનો મૂડ બગડ્યો અને તેને સુધારવા માટે વધુ નકારાત્મક કન્ટેન્ટ શોધવું પડ્યું. આ અભ્યાસમાં સામેલ પ્રોફેસર તાલી શારોટે કહ્યું કે આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે નકારાત્મક કન્ટેન્ટ માત્ર કોઈના મૂડને જ બગાડી શકતું નથી પરંતુ માનસિક રીતે ઘણા પડકારો પણ ઊભા કરી શકે છે.

લોકો સોશિયલ મીડિયા પર કેટલા કલાક રહે છે

વિશ્વની 8 અબજથી વધુ વસ્તીમાંથી લગભગ 5.3 અબજ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ છે. ચીનમાં સૌથી વધુ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ છે પરંતુ સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય ભારતીયો વિતાવે છે. ભારતમાં મોટાભાગના લોકો તેમની ભૂખ, તરસ, ઊંઘ અને સંબંધોની અવગણના કરીને સોશિયલ મીડિયા પર સમય વિતાવે છે.

સંશોધન કંપની 'રેડસિયર' અનુસાર, દરેક ભારતીય ઈન્ટરનેટ વપરાશકર્તા દિવસમાં સરેરાશ 7.3 કલાક સ્માર્ટફોન પર નજર રાખે છે. આમાં મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવવામાં આવે છે. સંશોધન બતાવે છે કે જેટલો વધારે સ્ક્રીન ટાઈમ હોય છે, તેટલું જ માનસિક સ્વાસ્થ્ય વધુ બગડે છે. આનાથી ચિંતા અને ડિપ્રેશન જ નહીં પરંતુ ઘણા ગંભીર વિકારો પણ થઈ શકે છે. સંશોધન જર્નલ PubMed માં જણાવવામાં આવ્યું છે કે 70% લોકો સૂતા પહેલા સ્માર્ટફોન ચલાવે છે અથવા સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે.

સોશિયલ મીડિયાની જોખમી આડઅસરો

  1. જર્નલ PubMed ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેવાને કારણે ઊંઘ પૂરી થતી નથી અને વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર અથવા ભૂલવાની બીમારીનો ભોગ બને છે.
  2. સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવાને કારણે સામાજિક સંબંધો તૂટી જાય છે અને ભાવનાત્મક જોડાણ પણ સમાપ્ત થઈ જાય છે.
  3. સોશિયલ મીડિયાની લત વધવાથી ડિપ્રેશન અને ચિંતાની સમસ્યા થાય છે. વ્યક્તિ વર્ચ્યુઅલ દુનિયામાં રહીને એન્ટી સોશિયલ બની જાય છે, જેનાથી માનસિક સ્વાસ્થ્ય બગડે છે.
  4. સોશિયલ મીડિયાના ચક્કરમાં વ્યક્તિ નકલી દુનિયા બનાવી લે છે અને પરફેક્ટ દેખાવાના ચક્કરમાં તણાવનો શિકાર બની જાય છે, જે માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે આ ફાયદાઓ
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે આ ફાયદાઓ
Embed widget