ઓઇલ ભરેલું જીજે 12 એવાય 0358 ટેન્કર રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. દરમિયાન ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જતા સીધો જ હોટેલ સવેરાના પાર્કિંગમાં ધસી ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે જ વાહનોમાં બેઠેલા અને વાહનોની નજીક ઉભેલા 12 જણા કચડાઈ ગયા હતા. જેમાં ઘટના સ્થળે જ છનાં મોત નીપજ્યા હતા.
3/11
4/11
5/11
6/11
જ્યારે છ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ ખસેડાયા છે. આ ઘાયલોમાં રાવળ ભરતભાઈ કાળુભાઇ (ઉ.વ.38), મનોજભાઈ દેવડા (ઉ.વ.40, રહે.માલગઢ, ડીસા) અને જસવંતભાઈ પુનમભાઈ પટેલ (ઉ.વ.65, રહે. અમીરગઢ)નો સમાવેશ થાય છે.
7/11
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ ટેન્કર ચાલક રોષ ઉતારી માર મારી પોલીસને સોંપ્યો હતો. રાત્રે ઘાયલોની મરણચીસો અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
8/11
ગઈ કાલે રાત્રે 8 વાગે ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જઈ સીધો સવેરા હોટેલના પાર્કિંગમાં ઘૂસી જતા પાર્ક કરેલી 2 કાર, 2 રિક્ષાઓ અને કેટલાક બાઇકોનો ખુદડો બોલાવી 12 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 6નાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 6 જણને ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતના સમાચાર મળતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા છમાંથી પાંચ અમીરગઢના વતની છે. જ્યારે અન્ય એક ડીસાનો વતની છે. જ્યારે છ લોકોને આ અકસ્માતમાં ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
11/11
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ટેન્કર ચાલકે દારૂના નશામાં બેફામ ટેન્કર ચલાવીને 12 લોકોને કચડી નાંખતાં છના કમકમાપૂર્ણ મોત થયા છે. કાર સહિત ચાર-ચાર વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જતા છ લોકોના મોતથી સમગ્ર પાલનપુરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બેફામ બનેલા ટેન્કરે કાર સહિતના વાહનોને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.