શોધખોળ કરો

2008 Ahmedabad Serial Blasts Case: 49 દોષિતોને સજાની જાહેરાત ટળી, હવે જાણો ક્યારે થશે સજાનું એલાન?

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટ દ્વારા આજે 49 દોષિતોને સજાની જાહેરાત ટળી છે. હવે 11મી ફેબ્રુઆરીએ દોષિતોને સજાનું એલાન થશે.

અમદાવાદઃ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટ દ્વારા આજે 49 દોષિતોને સજાની જાહેરાત ટળી છે. હવે 11મી ફેબ્રુઆરીએ દોષિતોને સજાનું એલાન થશે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. દરેક દોષિતની મેડિકલ ડાયરી તેમના વકીલને જેલ પ્રશાસન આજે જ આપે એવી જેલ પ્રશાસનને કોર્ટની તાકીદ કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો દોષિતોના પરિવાર પાસેથી તેમના વકીલો મેળવી લે એવી કોર્ટની તાકીદ. ઇમેઈલ થી કે વોટ્સએપ પર મંગાવે એ વકીલો જોઈ લે. હવે 11 તારીખે સજાના ઓર્ડર માટે કોર્ટ કરશે સુનાવણી. 
એવું કોર્ટનું હાલ મૌખિક અવલોકન.

આજે સજાની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરી હતી. કોર્ટે કહ્યું, એવી કઇ જોગવાઈ છે એ બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી હતી કે, દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજુઆત કરીએ છીએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપો. 

બીજી તરફ પ્રોસિક્યુશને રજુઆત કરી હતી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો. મહત્તમ સજા થવી જોઈએ. રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો. એક ચુકાદાનો હવાલો આપીને પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી. વાલ્મિકીઓ રોજ નથી થતા, કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. પ્રોસિક્યુશનની રજુઆત, દોષીતોએ આતંકી કૃત્ય કર્યું. પ્રોસિક્યુશનની રજુઆત આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.

26 જુલાઈ, 2008 એક પછી એક 21 બોંબ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ. ઘટનાના 14 વર્ષ બાદ વિશેષ અદાલતનો ચુકાદો આવ્યો અને 77માંથી 49 આરોપીને દોષિત જાહેર કરાયા જ્યારે 28 આરોપીને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરાયા.આજે દોષિત ઠરેલા 49 આરોપીઓ વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.  કોર્ટ તેમને બોલશે કે તમને વિવિધ કલમો હેઠળ દોષિત ઠરાવ્યા છે. તે વિષે તમારે શું કહેવું છે.

આરોપીઓને સાંભળ્યા બાદ આરોપીઓના વકીલો સજા ઓછી કરવા દલીલ કરશે. જયારે સરકારી વકીલો વધુમાં વધુ સજા ફટકારવાની દલીલો કરશે. આરોપીઓ અને વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ આરોપીઓને સજા ફટકારવાનો આદેશ કરશે. આરોપીઓ જે કાયદાઓ અને કલમો હેઠળ દોષિત સાબિત થયા છે. તેમાં ઓછામાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઇ છે. તેથી સરકાર આરોપીઓને ફાંસનીની સજાની માંગણી કરે તેવી શક્યતા છે.

એકસાથે સંખ્યાબંધ આરોપીઓને દોષિત ઠેરવાયા હોય તેવો આ દેશનો સૌપ્રથમ કેસ છે. જો કે કોર્ટે જે 28 આરોપીઓને નિર્દોષ છોડયા છે. પરંતુ આ આરોપીઓ અન્ય કેસોમાં સજા ભોગવી રહ્યા છે અથવા અન્ય કેસોની ટ્રાયલ તેમની સામે પેન્ડીંગ છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી, જ્યારે હજી પણ 8 આરોપી ફરાર છે.

આતંકીઓએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બોંબ મૂકાયા હતા. ટિફિનમાં બોંબ મૂકી ચોરી કરેલી સાયકલમાં ફીટ કરાયા હતા. તો સિવિલ અને LG હોસ્પિટલમાં ગાડીમાં બોંબ ફીટ કરાયા હતા. બોંબ વિસ્ફોટ માટે દોષિતોએ બકાયદા કેમ્પમાં જઈ ટ્રેનિંગ પણ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget