શોધખોળ કરો

Ahmedabad : કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા હત્યા કેસમાં કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો?

કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું, કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી.

અમદાવાદઃ વર્ષ ૨૦૧૬માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં થયેલી કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું, કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી. કોર્ટે દોષિત જાહેર કરતાં આજીવન કેદની સજા કરવી કે ફાંસીની સજા કરવી એ અંગે દલીલ થઈ હતી. સરકારી વકીલે આરોપીને મૃત્યુપર્યંત આજીવન કેદની માંગણી કરી હતી.  

બીજી તરફ બચાવપક્ષના વકીલે રજૂઆત કરી કે, આરોપી દોષિત ઠર્યા છે તો તેને કરવામાં આવતી સજાના વર્ષો નક્કી કરવામાં આવે. આરોપીને કેટલી સજા કરવી તે અંગે કોર્ટ એક વાગ્યે ચુકાદો આપશે. ગત સુનાવણી બાદ કોર્ટ પરિસરમાં જ આરોપી ને માર મારવામાં આવ્યો હોવાની ઘટનાની કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી અને સરકારને કહ્યું કે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે મારી કસ્ટડીમાં છે તેની પર હાથ ઉપાડવાનો કોઈને અધિકાર નથી. આ ચલાવી લેવાશે નહીં.  આરોપીને માર મારવાની ઘટના બાબતે સરકારી વકીલે કોર્ટને માફી માંગી હતી. 

ક્રાઇમ બ્રાન્ચે નોંધેલા કેસ પ્રમાણે,  એપ્રિલ-૨૦૧૬માં ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણીની રહસ્યમય રીતે હત્યા કરાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે વડોદરા નજીકના મિયાણાથી આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને આ કેસમાં ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સની હેરાફેરના કેસમાં મનીશ બલાઇને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં લાવી હતી.  

મોડી રાત્રે મનીષ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરી ક્રાઇમ બ્રાન્ચની પાછળની દીવાલ કૂદી ભાગી ગયો હતો. ત્યાર બાદ ટ્રેન દ્વારા તે વડોદરાના મીયાણા પહોંચ્યો હતો. પોલીસે મોબાઇલ ફોનના લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતી. આ કેસમં બન્ને પક્ષોએ સુનાવણી પૂર્ણ થતાં ચુકાદો ૨૨મી જુલાઇ પર અનામત રાખવામાં આવ્યો હતો, જેનો ચુકાદો આજે આવી ગયો છે અને આરોપીને દોષિત જાહેર કરાયો છે. તેમજ આજે સજાની પણ જાહેરાત થશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
Embed widget