શોધખોળ કરો

અમદાવાદના ધોળકામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, પૂરમાં ફસાયેલા 39 લોકોનું કર્યું રેસ્ક્યૂ

પોલીસ જવાનોએ પૂરમાં ફસાયેલા 39 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ધોળકામાં પોલીસકર્મીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી. ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગાણોલ ગામે પોલીસ જવાનોએ પૂરમાં ફસાયેલા 39 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ નાના બાળકોને ખભા પર બેસાડીને કમર સુધીના પાણીમાંથી તમામને બચાવ્યા હતા. ધોળકા ગ્રામ્યના પીએસઆઇ ઇન્દુભા રાણાએ તમામ લોકોની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી હતી.


અમદાવાદના ધોળકામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, પૂરમાં ફસાયેલા 39 લોકોનું કર્યું રેસ્ક્યૂ

તે સિવાય સુરેન્દ્રનગરના ચુડામાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પોલીસે નીચાણવાળા વિસ્તારમાંથી 110 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. તમામને ચુડાની કન્યાશાળામાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત બે દિવસથી વરસાદના કારણે રાજકોટના જંગલેશ્વરમાં રેસ્ક્યૂ કામગીરી યથાવત છે. શિવપુરા GIDCમાંથી 35 લોકોને બચાવવામાં આવ્યા હતા.

જામનગરમાં પાણીના પ્રવાહ વચ્ચે થાંભલા પર ફસાયેલા યુવકનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું હતું. જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં એક યુવક થાંભલા પર ચઢી ગયો હતો. લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતા તેઓને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જામનગરમાં રણજીતસાગર રોડ પર અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી ફાયરની ૧૦ ટીમ અને એનડીઆરએફની ૧ ટીમ દ્વારા ૭૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.

મોરબીમાં માળિયા હાઇવે રોડ ઉપર પાણીમાં ફસાયેલા ટ્રકમાંથી બે જણાને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા. ભોપાલથી ચોખા ભરીને ગાંધીધામ જતો ટ્રક પાણીમાં ફસાયો હતો. ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને નગરપાલિકાની સ્પીડ બોટ મારફતે પાલિકાની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પંચમહાલના કાલોલ ઇન્દિરા નગર વિસ્તારમાં છ માસના બાળક સહીત 21 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. કાલોલ મામલતદારે પાણીમાં ઉતરી નગરપાલિકા ફાયર વિભાગ ટીમની મદદ લઈ 21 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

વડોદરામાં ૪૫ અને દેવભૂમિ દ્વારકામાં ૩૦ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડી ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩,૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ ૧,૬૯૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Embed widget