શોધખોળ કરો

Ahmedabad: ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, જાણો 24 માર્ચ સુધી કેટલા કેસો નોંધાયા

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધી શકે છે

Ahmedabad News: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધી શકે છે. અમદાવાદ શહેરમાં ગરમી વધવાની સાથે જ હવે રોગચાળામાં પણ વધારો થયો છે. અમદાવાદમાં માર્ચમાં જ ઝાડા-ઉલ્ટી, ટાઇફૉઇડ અને સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદમાં આકારા તાપની શરૂઆત થઇ છે, અને સાથે સાથે જ અમદાવાદમાં રોગચાળો પણ વકરી રહ્યો છે. હાલના તાજા રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આ મહિનામાં એટલે કે 24 માર્ચ સુધીમાં શહેરમાં ઝાડા-ઉલ્ટીના 562 કેસ નોંધાયા છે, આ ઉપરાંત શહેરમાં કમળાના 85 કેસો, ટાઈફોઈડના 204 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરના રામોલ, અમરાઈવાડી, ઈન્દ્રપુરીમાં કોલેરાના એક એક કેસો પણ સામે આવ્યો છે. ગરમીનો પારો વધવાની સાથે જ લોકોમાં સ્વાઈન ફ્લૂ, શરદી-ખાંસી, વાયરલ ફિવર વધ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના 173 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળો વધતાં જ તંત્ર દોડતુ થયુ છે. 

'આ વર્ષે જૂનથી જ ધોધમાર વરસાદ' -અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારું રહેવાની કરી આગાહી, જાણો શું કહ્યું

અત્યારે માર્ચ મહિનો આખરમાં છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે, ત્યારે આ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારી રહેવાનું આગાહી કરી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહેશે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે. જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી છે. વરસાદની સાથે અંબાલાલ પટેલે ગરમી અને ઉનાળાને લગતી પણ આગાહી કરી છે, તેમના મતે મે મહિનામાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget