શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત
અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકો સાથે સીધા સંપર્કમાં આવતા હાઈ રિસ્ક વ્યક્તિઓના ટેસ્ટ શરૂ કરાયા છે.
![અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત AMC start covid-19 test of Bank employees of city અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/18015522/covid-19-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે અમદાવાદમાં કોરોનાના કેસોનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. ત્યારે અમદાવાદમાં ફરીથી કોરોના વકરે નહીં, તે માટે તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા લોકો સાથે સીધા સંપર્કમાં આવતા હાઈ રિસ્ક વ્યક્તિઓના ટેસ્ટ શરૂ કરાયા છે.
અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ બેન્કોના સ્ટાફના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી તેમનાથી અન્ય લોકોને કોરોના થાય નહીં. આ ઉપરાંત અમદાવાદના એસ.ટી. બસ સ્ટેન્ડ પર આવનારા તમામ લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, એક્સપ્રેસ હાઇવે પર પણ સઘન સ્ક્રીનિંગ શરૂ કરાયું છે.
એટલું જ નહીં, મનપાએ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ(એએમટીએસ)ના તમામ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરવાના શરૂ કર્યા છે. શહેરમાં જાહેર પરિવહન સાથે સંકળાયેલી સેવા હોવાથી કોરોનાના સંક્રમણનું જોખમ વધુ હોય છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)