શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ અને ગુજરાત મોટા રાહતના સમાચાર, જાણો વિગત
15 દિવસ પહેલા 53.19 ટકાની સામે હવે એક્ટિવ દર્દીઓ ઘટીને 26.35 ટકા થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, રાજ્યમાં એક્ટીવ દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 15 દિવસ પહેલા 53.19 ટકાની સામે હવે એક્ટિવ દર્દીઓ ઘટીને 26.35 ટકા થયા છે. ગુજરાતમાં હાલ, 4631 એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદમાં 3158 એક્ટિવ કેસ છે.
ગુજરાત માટે મોટી રાહતના સમાચાર એ પણ છે કે, અત્યાર સુધીમાં ગઈ કાલે સૌથી વધારે 1114 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એવી જ રીતે અમદાવાદમાં પણ સૌથી વધુ 1019 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગઈ કાલે અમદાવાદ પછી સુરતમાં 32, સાબરકાંઠામાં 20, વડોદરામાં 9, કચ્છમાં 7, દાહોદમાં 4, ખેડામાં 4, આણંદમાં 3, અરવલ્લીમાં 3, મહેસાણામાં 3, ગાંધીનગરમાં 2, ગીરસોમનાથમાં 2, રાજકોટમાં 2, તાપીમાં 2, જૂનાગઢમાં 1 અને પાટણમાં એક દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
એની સામે ગઈ કાલે ગુજરાતમાં 415 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરુચમાં 4, દાહોદમાં 4, ખેડામાં 3, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોના કોરોનાને કારણે દુઃખદ નિધન થયાં છે, જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion