શોધખોળ કરો

કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત, જાણો ભૂપેન્દ્ર પટેલ સરકારના ક્યા મંત્રીએ કર્યો દાવો?

એક કાર્યક્રમમાં કહ્યું કે  કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે જેથી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં  સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.

અમદાવાદઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દાવો કર્યો હતો કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે  કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે જેથી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં  સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને માં યોજનાના અન્વયે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, રાજય સરકાર એક ગોલ સાથે કામ કરી રહી છે કે ૮૦ લાખ લોકોને આ લાભ મળે. ગ્રીન કોરિડોર દ્વારા દર્દીને સારવાર મળે તે માટે આ યોજના રહેશે. ૬૨૫ જેટલી ખાનગી અને સરકારી તમામ હોસ્પિટલને આ યોજનામાં આવરી લેવામાં આવી છે.

ઋષિકેશ પટેલે કહ્યું કે, કોવિડની સારવાર દરમિયાન કેટલીક ફરિયાદ ઉઠી હતી પરંતુ  હવે જનરલ સારવાર માટે કોઈ ફરિયાદ નહિ ઉઠે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીવત છે પરંતુ સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. ત્રીજી લહેર અંગે ગુજરાતની જનતાએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. દવાની સપ્લાય માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને જો ક્યાંક ખામી હશે તો તેને દૂર કરવામાં આવશે.

નોંધનીય છે કે એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે નહીં. જલદી કોરોના સામાન્ય શરદી, તાવ અને ખાંસીની જેમ બની જશે. ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના હવે મહામારી નહી રહે. એનો અર્થ એ નથી કે લોકોએ સાવધાન રહેવું જોઇએ નહીં. જ્યાં સુધી આખા દેશમાં તમામ લોકોને વેક્સિન ન અપાઇ જાય ત્યાં સુધી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

ગુલેરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે કોરોના મહામારી હજુ ખત્મ થઇ નથી. હવે આ શરદી, તાવ અને ખાંસીની જેમ થઇ ગઇ છે. જેમ જેમ વેક્સિનેશન આગળ વધશે તેમ તેમ કોરોનાના નવા કેસમાં ઘટાડો આવશે. લોકોમાં કોરોના વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી વિકસિત થઇ ચૂકી છે. આ કારણથી કોરોનાના નવા કેસ ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
AMC Election Result 2026 : અમદાવાદમાં ભાજપના ગઢ ખાડિયામાં કૉંગ્રેસ પેનલની શાનદાર જીત  
AMC Election Result 2026 : અમદાવાદમાં ભાજપના ગઢ ખાડિયામાં કૉંગ્રેસ પેનલની શાનદાર જીત  
Heatwave : અમદાવાદમાં ગરમીએ તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ, હવામાન વિભાગે શહેરમાં જાહેર કર્યું યલો એલર્ટ
Heatwave : અમદાવાદમાં ગરમીએ તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ, હવામાન વિભાગે શહેરમાં જાહેર કર્યું યલો એલર્ટ

વિડિઓઝ

Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું
Gujarat Local Body Election Results 2026: સુરેન્દ્રનગરના મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત
Gujarat Local Elections Results 2026: લાઠી તા.પં.ની ચાવંડ બેઠક પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની હાર
Gujarat Local Elections Results 2026 : ભુજ નગરપાલિકામાં વોર્ડ નં.1માં AIMIMના 3 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Election Results: સાંસદ ગેનીબેનના ગઢમાં ગાબડું, ભાભર નપામાં કોંગ્રેસના સૂપડાસાફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
Embed widget