Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય
અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

- અમદાવાદ DEOએ શૈક્ષણિક નુકસાન ભરવા રવિવારે શાળા ખોલવા સૂચવ્યું.
- ભારે વરસાદને કારણે રજાઓથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર થઈ હતી.
- ઓગસ્ટના રવિવારે શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય સ્વેચ્છિક રહેશે.
Ahmedabad schools: અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ સરકારી, ખાનગી અને સ્વનિર્ભર શાળાઓને ઓગસ્ટ મહિનાના રવિવારે શાળા ચાલુ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે, રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે શાળા સંચાલકોની સ્વેચ્છા પર આધારિત રહેશે.
વરસાદમાં રજા આપવાના કારણે અભ્યાસક્રમને અસર થઈ હતી અસર
અમદાવાદ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે અનેક દિવસો સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અને શૈક્ષણિક કામગીરી પર અસર પડી હતી. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગે ખાસ પહેલ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમની તમામ સરકારી, ખાનગી તેમજ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને નોટિસ જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે ઓગસ્ટ મહિનાના રવિવારે શાળા ચાલુ રાખીને બાકી રહેલું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી શકાય છે.
શાળા સંચાલકો સ્વેચ્છાએ લઈ શકશે નિર્ણય
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રવિવારે શાળા ચાલુ રાખવી ફરજિયાત નથી. દરેક શાળા સંચાલક પોતાની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ નિર્ણય લઈ શકશે. એટલે દરેક શાળામાં અલગ-અલગ આયોજન થઈ શકે છે.
વાલી અને વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરવી ફરજિયાત
જો કોઈ શાળા રવિવારે વર્ગો શરૂ કરવાનો નિર્ણય લે છે તો તે અંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અગાઉથી જાણ કરવી જરૂરી રહેશે. જેથી વિદ્યાર્થીઓ યોગ્ય આયોજન સાથે શાળામાં હાજર રહી શકે અને કોઈ પ્રકારની ગેરસમજ ઊભી ન થાય.
ભારે વરસાદને કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી
અમદાવાદમાં 24 જુલાઈના રોજ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન કરાવવું અને મૂલ્યાંકન જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન શાળાઓમાં કરી શકાશે. અમદાવાદ શહેરમાં જૂલાઈના અંતમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બાકી રહી ગયો હતો. રવિવારે શાળા ચાલુ રાખવાનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે શાળા સંચાલકોનો સ્વૈચ્છિક રહેશે.






















