શોધખોળ કરો

કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્રનું હાર્ટઅટેકથી મોત, રક્ષાબંધને બહેન પાસે ગયા હતા રાખડી બંધાવવા

અમદાવાદઃ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલનું રવિવારે દુઃખદ નિધન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઈ ઘણા લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે આવેલું કારખાનું 2012માં બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યુ હતું અને સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા. સ્વ. જગદીશભાઈ પટેલનું ગુરૂવારે રાજકોટની આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવ્યું છે. રવિવારે રક્ષાબંધન પર્વ હોવાથી અમદાવાદ ખાતે તેઓના બહેનને ત્યાં રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યાં જ તેઓને હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા તેઓનું નિધન થયુ હતું. રવિવારે સાંજે અમદાવાદ ખાતે તેઓની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં પરિવારજનો, મિત્રવર્તુળો જોડાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલ ઓશો સન્યાસી હતા. તેઓનું ઉપનામ સ્વામી દેવતીર્થ ભારતી હતું. રાજકોટના મવડી પ્લોટ ખાતે કારખાનુ હતું તે વર્ષ 2012ના ફેબ્રુઆરીમાં બંધ કરી ઓશો સેન્ટર શરૂ કરેલું. જેનું ઉદ્દઘાટન સુફી મા માસ્ટર મા પ્રેમ નઝીલા દ્વારા કરવામાં આવેલ અને આ ઓશો સેન્ટરનું નામ 'ઓશો આનંદ ધામ ધ્યાન મંદિર' રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેશુભાઈના પુત્ર પ્રવિણભાઇ પટેલનું પણ ગત વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ દુઃખદ નિધન થયેલ. કેશુભાઈના તમામ પુત્રો ઓશો સન્યાસી છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર સાથે તેઓનો વર્ષો જૂનો અતૂટ નાતો રહેલો છે. કેશુબાપાના 5 પુત્રો અને 1 પુત્રી છે. જેમાં સૌથી મોટા સ્વ.જગદીશભાઈ, સ્વ.પ્રવિણભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, અશોકભાઈ તેમજ પુત્રી સોનલબેન છે. સોનલબેન અમદાવાદ રહે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?Hun To Bolish : હું તો બોલીશ : ખાદી અને ખાખી વચ્ચે વિવાદો કેમ?Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર 
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Embed widget