![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ અને AMCમાં વિપક્ષના નેતા તરીકે કોના નામની છે ચર્ચા? જાણો વિગત
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશ શર્મા બની શકે છે. AMCના પૂર્વ વિપક્ષીનેતા દિનેશ શર્મા નવા અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ બની શકે છે. જ્યારે AMC વિપક્ષના નેતા તરીકે સેહઝાદ ખાન અને નીરવ બક્ષી બની શકે છે. બંનેને 2.5 વર્ષ માટે વિપક્ષી નેતા બનાવી શકે છે.હાલ અમદાવાદ શહેરના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ચેતન રાવલ છે.
![અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ અને AMCમાં વિપક્ષના નેતા તરીકે કોના નામની છે ચર્ચા? જાણો વિગત Gujarat Elections 2022 : Now who Ahmedabad congress president and AMC oppossion leader from Congress અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ અને AMCમાં વિપક્ષના નેતા તરીકે કોના નામની છે ચર્ચા? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/05/aadfdaa6309c7385030a0729e650e83c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ હવે હોદ્દેદારોની નિમણૂક કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ અને એએમસીમાં વિપક્ષના નેતાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશ શર્મા બની શકે છે. AMCના પૂર્વ વિપક્ષીનેતા દિનેશ શર્મા નવા અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ બની શકે છે. જ્યારે AMC વિપક્ષના નેતા તરીકે સેહઝાદ ખાન અને નીરવ બક્ષી બની શકે છે. બંનેને 2.5 વર્ષ માટે વિપક્ષી નેતા બનાવી શકે છે.હાલ અમદાવાદ શહેરના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ચેતન રાવલ છે.
કોંગ્રેસમાં આ દિગ્ગજ નેતાની થશે ઘરવાપસી, નરેન્દ્ર મોદી સાથે પણ રહ્યા છે ગાઢ સંબંધ
શંકરસિંહ વાઘેલા એટલે કે રાજનીતિના બાપુ ફરી એકવાર કૉંગ્રેસમાં જોડાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો બુધવારે શંકરસિંહ વાઘેલા સાથે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ એવા ભરતસિંહ સોલંકીની મુલાકાત પણ થઈ ચુકી છે. માધવસિંહભાઈને શ્રદ્ધાંજલિ આપવા શંકરસિંહ અગાઉ ભરતસિંહને મળ્યા હતા. જો કે ત્યાર બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચુકી છે. કેમ કે રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાકી છે ત્યારે એકવાર પ્રભારીની નિયુક્તિ થઈ જાય ત્યાર બાદ બાપુની કૉંગ્રેસ વાપસી અંગે નિર્ણય લેવાશે. બાપુને કૉંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કૉંગ્રેસનું એક મોટુ જુથ સક્રિય છે. કેમ કે હાલ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં નથી ત્યારે તેમના પરત આવ્યા બાદ કૉંગ્રેસ હાઈકમાંડ આ મુદ્દે નિર્ણય લેશે.
મુળતઃ આરએસએસ અને ભાજપ ગોત્રના શંકરસિંહ વાઘેલાએ અગાઉ બળવો કરીને ભાજપ છોડ્યુ હતુ. બાપુએ ત્યારબાદ રાજપા બનાવી હતી. જો કે રાજ્ય વિધાનસભાની રાજપાની માત્ર ચાર બેઠક આવતા બાપુ ત્યારબાદ 1999માં કૉંગ્રેસમાં જોડાયા હતા. બાપુએ શક્તિદળ બનાવ્યુ હતુ. જે વિવાદનું કારણ બનતા તેનું વિસર્જન કર્યુ હતુ. બાપુ કૉંગ્રેસની ટિકિટ પર લોકસભાબેઠક પર ચૂંટણી જીત્યા હતા. અને કેંદ્રમાં યુપીએ વનની સરકારમાં કપડા મંત્રી રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)