![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સોખડા હરિધામ મંદિર વિવાદઃ પ્રબોધ સ્વામી જૂથને ઝટકો, હેબીયસ કોર્પસમાં મંજૂર રાખવા કોર્ટનો ઇનકાર
હાઇકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો કર્યો નિકાલ. કોર્ટે નોંધ્યું. સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કૉર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.
![સોખડા હરિધામ મંદિર વિવાદઃ પ્રબોધ સ્વામી જૂથને ઝટકો, હેબીયસ કોર્પસમાં મંજૂર રાખવા કોર્ટનો ઇનકાર Gujarat HC give oreder on Sokhada Haridaham temple controversy, remove hebous corpus સોખડા હરિધામ મંદિર વિવાદઃ પ્રબોધ સ્વામી જૂથને ઝટકો, હેબીયસ કોર્પસમાં મંજૂર રાખવા કોર્ટનો ઇનકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/17/8dc069869c9927a5228ed59ee5b1a11c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ સોખડા હરિધામ મંદિરના વિવાદમાં હાઈકોર્ટમાં થયેલી હેબિયસ કોર્પસ અરજી પર હાઇકોર્ટે ચુકાદો લખાવવાનું શરૂ કર્યું. જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચ ચુકાદો આપી રહી છે.
હાઇકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો કર્યો નિકાલ. કોર્ટે નોંધ્યું. સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કૉર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. સંતો અને સાધ્વીઓ અને અન્યોના પાસપોર્ટ અને મોબાઈલ ફોન એમને અપાઈ ચૂક્યા છે. વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેમને અમદાવાદના નિર્ણય નગર અને આણંદ ના બાકરોલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી. જોકે એમને કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં નથી. એવા સમયે જે માંગણી જ નહોતી એવી માંગણી પાછળના તબ્બકે કરીને રાહત માંગવાની કોશિશ સ્વીકારી શકાય નહિ. સંતો અને સાધ્વીઓના વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે હેબિયાસ કૉર્પસ પિટિશન એ યોગ્ય ફોરમ નથી. વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે કાયદા પ્રમાણે અલગ અરજીઓ કરી શકાશે. પણ હાલના તબક્કે કાયમી વસવાટની માંગણી સ્વીકારી શકાય નહિ.
પ્રબોધ સ્વામી જૂથને ઝટકો. સંતો અને સાધ્વીઓને નિર્ણય નગર અને બાકરોલમાં કાયમી વસવાટ કરી આપવાની માંગ હાલના તબક્કે હેબીયસ કૉર્પસમાં મંજૂર રાખવા કોર્ટનો ઇનકાર.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)