શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે,20 જિલ્લાના કેન્દ્ર માત્ર ઘઉં-ચોખાથી ચાલી રહ્યા છે

ગાંધીનગર: ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ગુજરાતના 20 જિલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. આમ હાલમાં રાજ્યમાં 29000 મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે ચાલી રહ્યા છે.

ગાંધીનગર: ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ગુજરાતના 20 જિલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. આમ હાલમાં રાજ્યમાં 29000 મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે ચાલી રહ્યા છે. ગુજરાતના મધ્યાહન ભોજનમાં જુલાઈ મહિનાનું એકપણ પ્રકારનું અનાજ પહોંચાડવા આવ્યું નથી. મધ્યાહન ભોજન સંચાલકો પોતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને ભોજન પુરૂ પાડે છે.

ગુજરાતના મધ્યાહન ભોજનમાં ચાલું મહિનાનો અનાજનો જથ્થો નથી આપવામાં આવ્યો. ગુજરાતના ૨૦ જીલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં અને ચોખાથી ચાલતા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યમાં ૨૯ હજાર મધ્યાહન ભોજનના કેન્દ્રોમાં આજ સ્થિતિમાં ચાલી રહ્યા છે. જે મેનુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે કોઈ ખરીદી કરવામાં આવતી જ નથી.

અવાર નવાર સડેલું અનાજ આપવામાં આવે છે. પુરવઠા નિગમ દ્વારા આ અનાજની ખરીદી થતી હોય છે તેઓ ગુણવત્તાવાળું અનાજ નથી આપતા તેવી ફરિયાદો ઉઠી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યમાં અંદાજીત ૪૫ લાખ બાળકો મધ્યાહન ભોજન લઇ રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં ચાલતા મધ્યાહન ભોજનને લઈને સવાલો  ઉઠ્યા હોય. આ પહેલા પણ ઘણીવાર મધ્યાહન ભોજન માટે અપાતા અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી ચૂક્યા છે. જો કે, આ તમામ સવાલો વચ્ચે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.

રોગચાળો વકર્યો

ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ચાલુ વર્ષની સિઝનમાં મેલેરિયાના 10, ડેન્ગ્યૂના 24 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, શહેરમાં વકરી રહેલા રોગચાળાને અટકાવા માટે મચ્છરની ઉત્પતિને લઇને 387 લોકોને નૉટિસ પણ ફટકારવામાં આવી છે, વળી, તંત્ર દ્વારા 227 ઘરોમાં ફૉગિંગની પ્રૉસેસ પણ કરવામાં આવી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget